Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: એશીયન પેઇંન્ટ ચોકડી વિસ્તારની ચાલમાં આઘેડે ફાંસો ખાઇ આત્મહત્યા કરી!

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક વિસ્તારની હદમાં આવેલ એશીયન પેઇન્ટ ચોકડી નજીક એક ફેબ્રિકેશન કંમ્પાઉન્ડની ચાલમાં ૫૫ થી ૬૦ વર્ષીય આધેડે કોઇ કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલવાની ઘટના બનવા પામી હતી.

Advertisement

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર એશીયન પેઇન્ટ ચોક્ડી નજીક સાત પાણીની ટાંકીની સામે આવેલ ગેરજની બાજુની ઓમ ફેબ્રીકેશન કંમ્પાઉન્ડમાં આવેલ ચાલમાં રહેતા એક ૫૫ થી ૬૦ વર્ષીય આધેડે અચાનક કોઇ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો ટોળે વળ્યા હતા. ઘટનાની જાણ જી.આઇ.ડી.સી પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આધેડની લાસનો કબ્જો મેળવી તેને પી.એમ અર્થે ખસેડી આ આધેડે કયા કારણોસર ફાંસો ખાઇ આત્મહત્યા કરી તે કારણ મેળવવા સહીતની કાર્યવાહી આરંભી હતી.


Share

Related posts

ભરૂચ હાઇવે પર સેગવા પાટિયા પાસે ટેમ્પોની ટક્કરે જૈન સાધ્વીને ઇજા : મહિલા સેવકનું મોત

ProudOfGujarat

ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26 ફૂટ પહોંચતા 48 ગામોને એલર્ટ કરાયા,અંકલેશ્વરમાં ત્રણ ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ…

ProudOfGujarat

ભરૂચ અને નર્મદા જીલ્લામાં ઘરફોડ ચોરીનાં ગુનામાં સંડોવાયેલ રીઢા ચોરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!