Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- જીવ દયા પ્રેમી દ્વારા ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પાણી પીવા માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું…

Share

વિનોદભાઈ પટેલ

હાલ દિન-પ્રતિદિન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં ખૂબ માત્રામાં ગરમી પડી રહી છે. આ ગરમીમા માણસો તો માણસો પણ પક્ષીઓ પણ હેરાન પરેશાન હોય છે અને પક્ષીઓને પાણી પીવામાં પણ અછત પડતી હોય છે જેના કારણે ઘણા પક્ષીઓ પાણીની પ્યાસ ના કારણે તડપીને મરી જતા હોય છે તેને ધ્યાનમાં લઇ આજરોજ અંકલેશ્વર ખાતે જીવ દયા પ્રેમી દ્વારા ભર ઉનાળાની ગરમીને ધ્યાનમાં લઈને પક્ષીઓના પીવાના માટેના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા અંકલેશ્વરમાં જીવ દયા પ્રેમી ગ્રુપના કૌશિક ભાઈ પટેલએ પોતાની જીવ દયા પ્રેમીની ટીમ સાથે અંકલેશ્વરના પીરામણ નાકા પાસે પક્ષીઓને વિનામૂલ્યે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને ૨૦૦ થી ૩૦૦ જેટલા વ્યક્તિઓએ કુંડા લઈ ખુશી અનુભવી હતી અને દરેક વ્યક્તિએ પોતાના ઘરની બહાર પક્ષીઓને પાણી પીવડાવવા માટે ના કુંડા નું આયોજન કરશે એવું પણ જણાવ્યું હતું.

Advertisement


Share

Related posts

દસ્ક્રોઈ તાલુકાના સીંગરવા ખાતે રૂ. 75 કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક સરકારી હોસ્પિટલનું ગ્રહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ કરાયું…

ProudOfGujarat

અંકલેશ્વર કોસંબા ને જોડતા હાઇવે ઉપર ટેન્કર નીચે ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી…..

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરને પાંજરામાં પકડવાની કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!