Proud of Gujarat
EducationFeaturedGujarat

ભરૂચ:તારીખ ૧૯-૦૫-૨૦૧૯ના રોજ વર્લ્ડ ભરૃચી વહોરા ફેડરેશન તેમજ જિલ્લાના અન્ય ટ્રસ્ટો અને શૈક્ષણિક સંકુલના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવશે.

Share

દિનેશભાઇ અડવાણી

ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા આપેલ હોય અથવા પરિણામ આવી ગયું હોય એવા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે વર્લ્ડ ભરૃચી વહોરા ફેડરેશન- ભરૂચ ચેપ્ટર તથા જિલ્લામાં સ્થિત સમાજના તમામ ટ્રસ્ટો અને શૈક્ષણિક સંકુલના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે એટલે કે ૧૯-૦૫-૨૦૧૯ના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવનાર છે.પોતાની કારકિર્દીને લઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઘણીવાર મૂંઝવણ અનુભવતા હોય છે કે ધોરણ 10 અને 12 પછી કઇ લાઇન લેવી?.કઈ કોલેજમાં એડમિશન લેવું? વગેરે સવાલો વિદ્યાર્થીઓ તેમજ વાલીના મનમાં હોય છે.આ સમસ્યાના નિરાકરણ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનારમાં કારકિર્દી માર્ગદર્શન નિષ્ણાંત ઇરફાનભાઈ મોગલ એજ્યુકેશનલ અને મોટિવેશનલ સ્પીકર અમદાવાદ,ડી.ડી.પટેલ એસોસીએટ પ્રોફેસર અને હેડ એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ,ઈસ્માઈલભાઈ પટેલ ડાયરેક્ટર ગ્લોબલ એકેડેમી ભરૂચ,જાબીરભાઈ ચોકસી એ.એમ.પી હેડ ગુજરાત અને શિક્ષણ ક્ષેત્રે જાણીતા સામાજિક કાર્યકર સુરત દ્વારા વાલીઓ તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે.આ સેમિનાર તારીખ ૧૯-૦૫-૨૦૧૯ ના રવિવારે સવારે ૯ થી બપોરના ૧૨ વાગ્યા સુધી અકુજી હોલ દયાદરા ખાતે યોજાશે.દરેક વિદ્યાર્થી તેમજ વાલી આ સેમિનારનો લાભ લઇ શકશે.

Advertisement


Share

Related posts

વિસાવદર એન.સી.પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વાલી મીટીંગ અને ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

માસ પ્રમોશનનો મોટો ફાયદો : બંધ થવાના આરે રહેલી સ્વનિર્ભર એન્જિનિયરિંગ, B.Com, BBA સહિતની કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશથી ભીડ.

ProudOfGujarat

રાજપીપલા ખાતે યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના કાર્યક્રમમાં અંદાજે રૂા.૧૯.૯૫ કરોડના વિકાસના કામોનું ઇ-લોકાર્પણ અને તકતીનું અનાવરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!