Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરની બે યુવતીઓએ લુટેરી દુલ્હન બની આણદનાં રાસનોલ ગામના યુવાન સાથે લગ્નના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરી ફરાર…

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર આણદનાં રાસનોલ ગામના ખ્રિસ્તી મહોલ્લામાં રહેતા સુનીલ ડાહ્યાભાઈ વણકર નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓના લગ્ન માટે યુવતી શોધી રહ્યા હતા. તેઓ અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતી મીનાબેન કિરીટભાઈ પરમાર અને સંગીતાબેનના સંપર્કમાં આવ્યા હતા. આ બંને મહિલાઓએ ગત તારીખ ૨૬-૪-૧૯ ના રોજ યુવાન પાસેથી લગ્ન માટે નક્કી કરેલ રૂપિયા પૈકી ૧૦ હજાર એડવાન્સ લીધા હતા. જે બાદ હેતલ નામની યુવતી સાથે આદિવાસી રીવાજ મુજબ અંકલેશ્વર ખાતે લગ્ન થયા હતા.ગત તારીખ ૨-૫-૧૯ ના રોજ પરણીતા હેતલબેન ઘરે જવાની જીદ કરતા સુનીલ વણકર તેણીને પરત તેના ગામ મુકવા જતો હતો. તે દરમિયાન કરજણ કે પાલેજ રેલ્વે સ્ટેશન પર પરિણતા સુનીલ વણકર અને તેના પરિવારને ચકમો આપી સોના-ચાંદીના દાગીના અને ૭ હજાર રોકડા લઈ ફરાર થઇ ગઈ હતી.આ બે મહિલાઓ દ્વારા ૧.૩૦ લાખની છેતરપીંડી કરી હોવાનું જણાતા તેઓએ મીનાબેન કિરીટભાઈ પરમાર અને સંગીતાબેન વિરુદ્ધ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી બંને સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીની અમલકેમ કંપનીમાં ગેસ ગળતર થતાં કામદારોને ગેસની અસર.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં તવરા ગામનાં નર્મદા નદીનાં કિનારે ભયાનક મોટા મગરે એક શ્વાનનો શિકાર કર્યો.

ProudOfGujarat

ઝઘડીયાની એક કંપની દ્વારા સીએસઆર હેઠળ વિદ્યાસાથી પ્રોજેક્ટ ચલાવાય છે જેમાં શિક્ષકોની ઘટ ધરાવતી 62 શાળાઓમાં 81 શિક્ષિકા બહેનોની નિમણુક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!