Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: પાણીનો બગાડ કરતા હોય તો થઇ જજો સાવધાન, પાણીનો બગાડ કરનારાઓને થશે રૂપિયા ૫૦૦૦/-સુધીનો દંડ.

Share

દિનેશભાઇ અડવાણી

ઉકાઇ જમણા કાંઠામાંથી પાણી નહીં મળવાના કારણે અંકલેશ્વરના માથે જળ સંકટ ઘેરાય રહ્યું છે.અંકલેશ્વર શહેરમાં બુધવારથી પાલિકા એક દિવસના અંતરે પાણી આપશે અને સાથે-સાથે પાણીનો બગાડ કરનારાને રૂપિયા ૩૦૦ થી ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ વસુલાશેની જાહેરાત પણ કરવામાં આવી છે.ઉકાઇ ડેમના જળસ્તર ઓછા હોવાથી જમણા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે જેનાથી કેનાલમાંથી પાણી મેળવતા અંકલેશ્વર શહેરમાં પાણીની તંગી ઉભી થવા પામી છે.કેનાલના પાણીનો સંગ્રહ કરતા ગામ તળાવમાં પણ માત્ર ૧૫ દિવસ ચાલે તેટલું પાણી રહી ગયું છે,ભૂગર્ભ જળનું સ્તર નીચું જવાથી અંકલેશ્વર પાલિકાના બોરમાંથી ૨૫,૦૦૦ લીટર પાણીના બદલે માંડ ૧૮,૦૦૦ લીટર પાણી મળી રહ્યું છે.ઉકાઇ ડેમની સપાટી ઓછી હોવાથી હવે કેનાલમાં ચોમાસા પછી પાણી છોડવામાં આવશે.પાણીનો બગાડ થતો રોકવા પાલિકા દ્વારા પાંચ ટીમો કાર્યરત રહેશે જે વાહનોને ધોવામાં બગડતું પાણી,નળ ખુલ્લા રાખવા સહિત પાણીના બગાડને અટકાવવા કામ કરશે અને પાણીનો બગાડ કરનારાઓ પાસે રૂપિયા ૩૦૦ થી માંડી રૂપિયા ૫૦૦૦ સુધીનો દંડ પણ વસુલાસે એમ પાલિકાના કારોબારી અધ્યક્ષ ચૈતન્ય ગોળવાલાએ જણાવ્યું હતું.

Advertisement


Share

Related posts

ભરૂચ નર્મદા ચોકડી પાસેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે 3 શખ્સને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

જુના ભરૂચમાં વિકાસ ન થતો હોવાના આક્ષેપ સાથે ચૂંટણી બહિષ્કાર ના બેનરો લાગતા કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું.જુના ભરૂચમાં લગાયેલા બેનરો દૂર કરવા જતાં બંને વચ્ચે ધિંગાણું.નિખિલ શાહે લગાયેલા બેનરો મુદ્દે કેટલાક લોકો ખુશ પણ હતા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમનાં વધતાં જતાં નાણાંકીય છેતરપિંડીનાં બનાવોમાં રૂ.33,182 રિફંડ કરાવી આપતી ભરૂચ સાયબર સેલ પોલીસ.

ProudOfGujarat

1 comment

Imtiyaz Khan June 11, 2019 at 11:59 am

Number apo direct cal karine kehvay
tevo

Reply

Leave a Comment

error: Content is protected !!