Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ સહીત પંથકનાં તળાવો છલકાયા.વરસાદી પાણી થી ખેતર-ખાડીઓ છલાછલ…

Share

ઈમરાન ઐયુબ મોદિ

સતત ત્રીજા દિવસે મેઘ મહેર ચાલુ રહેતાં ખેતરો, ગામ, તળાવો છલકાય ગયાં છે.ભરુચ સહીત પાલેજ તેમજ નબીપુર અને નારેશ્વર પંથક નાં ગામો માં શનિવારે રાત્રીનાં અગિયાર વાગ્યાં નાં અરસામાં ભારે વરસાદ વરસ્યો હતો.પાલેજ સીમલિયા સહિત અનેક ગામો નાં તળાવો માં જળ બંબાકાર થતા વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગામ તળાવો ભરાઈ ને છલકાય ગયાં હતાં.ખેતરો માં અને વોકરાં ખાડીઓ વરસાદી પાણી થી ભરાય ગયા છે.ચારેતરફ વરસાદ નાં પાણી થી ખેતરની જમીન રસ તરબોળ થઈ જવા પામી છે.ખેડૂતો ની ધારણા કરતાં પણ વધારે વરસાદ વરસી પડતાં ખેતીવાડી માં ઉગેલા કપાસ નાં પાકો બળી જવાની ભીતી સેવાય રહી છે.ખેડૂતો નાં મોંઘા ભાવો નાં બિયારણો વધુ વરસાદ માં બળી જાય પાણી માં પેચાય જાય તો લાખો નું નુકસાન થઈ શકે છે.ફરી થી બિયારણ નું વાવેતર કરવાં માં ખેડૂતો ને ડબલ નુકસાન જશે.

Advertisement

નારેશ્વર પંથક નાં સારિંગ ગામ ની ખેતીની સીમમાં થી પસાર થઈ માત્રોજ થઈ સેગવા થઈ હાઇવે પસાર કરી આગળ વધતી ભૂખી ખાડી માં વરસાદી પાણી આવતાં બે કાંઠે છલકાય ખેતરો માં પાણી ફરી વળતાં ભારે નુકસાન ની ભીતી સેવાય રહી છે.અવિરત રવિવારે પણ વરસાદ ચાલું જ રહ્યો હતો.સતત વરસાદ નાં પગલે નીચાંણ વાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાયાં હતાં.


Share

Related posts

રાજપીપળા ટેકરા ફળિયામાં સ્વ.નરેશ કનોડિયાનાં ચાહકે તેમના આત્માની શાંતિ માટે ભજન રાખી શ્રદ્ધાંજલિ અર્પી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં હાર્ટ એટેક થી વધુ એક યુવાનનું મોત, હોસ્પિટલ ના મેલ નર્સ નું મોત નીપજતા સ્ટાફ સહિત ગામ ના શોક નો માહોલ

ProudOfGujarat

ભરૂચ એસ. ઓ. જી. એ લાયસન્સ વગર ચાલતી સિક્યુરિટી એજન્સીને ઝડપી પાડી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!