Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર:સંજાલી ગામ ખાતે પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

વૃક્ષ વાવો પર્યાવરણ બચાવોના સંકલ્પને ધ્યાનમાં રાખીને અંકલેશ્વરના સંજાલી ગામ ખાતે સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ખૂબ મોટી સંખ્યામાં સંજાલી ગામના આગેવાનો તથા પાનોલી એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.વૃક્ષારોપણ સાથે-સાથે સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું.સંજાલી ગ્રામ પંચાયત તથા જે.બી કેમિકલ્સ કંપનીએ પણ આ પ્રોગ્રામમાં સહભાગી બની પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.હાલ વરસાદી મોસમ હોવાથી વૃક્ષોનો જલ્દી અને સારો એવો ઉછેર થઇ શકે છે જેને ધ્યાનમાં રાખી પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે જોડાયેલ લોકો વધુમાં વધુ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે એવી અપીલ કરી રહ્યા છે તેમજ સમાજના લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બને તે માટે કાર્યક્રમો યોજી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે.

Advertisement


Share

Related posts

જંબુસર તાલુકાનાં કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર મંદિર કોરોના અંતર્ગત બંધ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ઝઘડીયાનાં રાણીપુરા પાસે ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે દિપડાનું મોત.

ProudOfGujarat

જામનગર મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા પ્રદર્શન મેળામાં ત્રણ સ્ટોલમાંથી અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!