Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર – ૫૦ વર્ષથી પણ વધુ સમયથી ભરાય છે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તાર ખાતે અગિયારસનો મેળો…

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ પૌરાણિક બહુચર માતાજીના મંદિરે અગિયારસ નિમિત્તે ભાતીગળ મેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડ્યા હતા.

Advertisement

વર્ષોથી અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ પૌરાણિક બહુચર માતાજીના મંદિર ખાતે દેવ પોઢી અગિયારસ નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. ભાતીગળ મેળામાં હજારો માઇ ભક્તો ઉમટી પડી માતાજીના દર્શન કરી માતાજીને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવે છે. વર્ષોથી માઇ ભક્તો દેવ પોઢી અગિયાર નિમિત્તે પૌરાણિક બહુચર માતાજીના મંદિરે પૂજન અર્ચન કરી માતાજી પાસે કામના કરતા હોય છે ત્યારે આજરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે પણ અગિયારસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.


Share

Related posts

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ નર્મદા રેન્જ તિલકવાડા ખાતે વનીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારનાં કુંવરપુરા ગામની સીમમાંથી આયસર ટેમ્પામાં ભરી લઇ જવાતા વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

અંક્લેેશ્વર પોલીસે મામલતદાર કચેરીએ પાર્ક ટ્રકમાંથી સીસુ ચોરનાર 5ને ઝડપી પાડ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!