Proud of Gujarat
FeaturedGujarat

યાત્રા ધામ ખાતે દારૂ અને જુગારની બદી બંધ કરાવવા આવેદન પત્ર પાઠવવા પડે છે.યાત્રા ધામ અંગારેશ્વર, શુક્લતીર્થ, નિકોરા, મંગલેશ્વર, જનોર વિસ્તારમાં ઇંગલિશ દારૂ ,જુગાર ,સટ્ટા બેટિંગ બંધ કરાવવા બાબતે અંગારેશ્વર ગ્રામ પંચાયતના સભ્યોએ આવેદન પત્ર પાઠવાયું….

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે.આવેદન પત્રમાં તારીખ ૧૫/૦૭/૧૯ ની ગ્રામસભાના તેમજ ગ્રામ સભામાં જાગૃત નાગરિકો દ્વારા અપાયેલ અરજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવેલ છે કે નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આઉટપોસ્ટ શુકલતીર્થ વિસ્તારમાં આવતા અને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ધામો જાહેર કરેલા ગ્રામ્ય વિસ્તારોમાં ઇંગલિશ દારૂ ,જુગાર ,સટ્ટા બેટીંગનું પ્રમાણ ખુબ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે તેવી રજુઆત તારીખ ૧૫/૦૭/૧૯ ની ગ્રામસભામાં જાગૃત નાગરિકો દ્વારા લેખિતમાં પંચાયતને મળેલ છે અને મૌખિક રીતે પણ ગ્રામસભામાં હાજર રહેલ નાગરિકો દ્વારા રજુઆત કરવામાં આવેલ છે. જેમની રજુઆત મુજબ ઇંગલિશ દારૂ ,જુગાર,સટ્ટા બેટિંગની લતના વ્યસનના કારણે અંગારેશ્વર ગામના આશરે ૫૦ લોકોના મોત નિપજ્યા છે તેમજ વિવિધ બદીઓના કારણે ઝેરી દવા ગટગટાવી મોત પામ્યા હોય તેવા બનાવો પણ બન્યા છે.અંગારેશ્વર ,શુક્લતીર્થ,નિકોરા,મંગલેશ્વર,જનોર વિસ્તારમાં બેફામ રીતે દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.જયારે શુક્લતીર્થ આઉટપોસ્ટના પોલીસ અમલદારો કે જેઓ ૫ વર્ષ કરતા વધુ સમયથી આઉટપોસ્ટમાં ફરજ બજાવે છે તેઓ અંગે તેમજ આ યાત્રા ધામના ગામોમાં વ્યાપેલ સામાજિક બદી અંગે યોગ્ય કરવા વિનંતી આવેદન પત્રમાં કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

ગત દિવાળીના અરસામાં ઝાડેશ્વરના મહેશ નિઝામા પર હુમલો થયો હતો.જાણો હુમલો કરનાર કોણ અને કેમ હુમલો કર્યો? સોપારી કેટલાની અપાય…

ProudOfGujarat

અમદાવાદમાં પર્યાવરણને નુકસાન પહોંચાડાતા 41 બાંધકામ સાઈટ સીલ કરાઇ.

ProudOfGujarat

રાજપીપલાનાં સ્મશાન ગૃહમાં ગેસ આધારિત બે આધુનિક સગડીનાં પ્રોજેક્ટનો પ્રારંભ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!