Proud of Gujarat
FeaturedGujarat

શ્રી ખંભલાય માઁ માંડલ કુત્સસ્ ગૌત્ર પરિવારે ગોત્રજ નામની ધાર્મિક વિધિ કરી…

Share

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

ખંભલાય માતાજી ટ્રસ્ટ માંડલ નાં ટ્રસ્ટીઓ અને સ્પંદન ગ્રુપના તમામ મિત્રોએ સાથે મળીને માંડલ શ્રી ખંભલાય માતાજી પાસે પ્રાર્થનાઓ કરીને દરેક બ્રાહ્મણો માટે અનહદ જરુરી એવી ” ગોત્રજ ” નામની ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી. આપણાં જન્મ સમયે આપણાં માટે.. આપણાં લગ્ન થાય ત્યારે આપણી પત્ની માટે અને આપણેં ત્યાં પુત્ર/પુત્રી નો જન્મ થાય ત્યારે પુત્ર/પુત્રી નાં ગોત્ર પરિવર્તન માટે ગોત્રજ/ગોત્રીજ નામની એક ખુબજ અગત્યની અને નાની વિધિ કુળદેવીનાં ચરણોમાં જ કરવાની હોય છે જેમના કુળદેવી શ્રી ખંભલાય માતાજી છે એવા તમામ ખંભલાય માઁ ના બાળકો માટે આ ગોત્રજ કરવું જોઈએ. જે કુત્સસ્ ગૌત્રને ગોત્રજ કરવું હોય તેને શ્રી ખંભલાય માતાજી ટ્રસ્ટ માંડલ તરફથી તમામ વ્યવસ્થા કરી શકાય એ માટે અગાઉથી જાણ કરવી અનિવાર્ય રહેશે.

Advertisement


Share

Related posts

વાગરામાં વીજ વિજિલન્સના સાગમટે દરોડા

ProudOfGujarat

જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ ૦૦૦૦૦૦

ProudOfGujarat

વડોદરા : VMC દ્વારા જુનિયર ક્લાર્ક અને સેનેટરી ઈન્સ્પેકટરની ભરતીમાં એકને ગોળ અને એકને ખોળની નીતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!