Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: જીઆઇડીસી ના c પમપિંગ સ્ટેશન ને અમરાવતી નદી ને પ્રદુષિત કરવા બાબતે કસૂરવાર ગણી દન્ડ સહિત 15 દિવસ ની કલોઝર નોટિસ અપાઈ

Share

દિનેશભાઇ અડવાણી

તારીખ 14.07.19 ના રોજ અમરાવતી નદી ના પાણીમાં લાલ કલર નું કેમિકલ યુક્ત પાણી ફરી જતા જળચર પ્રાણીઓ ના મૃત્યુ થયા હતા અને 10.12 કિલો જેવું વજન ધરાવતા મોટા જળચર પ્રાણીઓ ના મૃત્યુ થયા હતા. આ પ્રદુષિત પાણી ની તપાસ અને કાર્યવાહી જી.પી.સી.બી.એ કરતા અંકલેશ્વર જી.આ.ઇ.ડી.સી ના C પમપિંગ સ્ટેશન ને અમરાવતી નદી ને પ્રદુષિત કરવા બાબતે કસૂરવાર ગણી લાખો રૂપિયા ના દન્ડ સહિત 15 દિવસ ની કલોઝર નોટિસ અપાઈ છે.

Advertisement

આ અમરાવતીમાં ભૂતકાળમાં પણ અનેક વખત પ્રદૂષિત થઈ છે અને મોટા જળચર પ્રાણીઓ ના મૃત્યુ હતા હતા. ચોમાશા ની ઋતુ માં ઉધોગો દ્વારા પ્રદુષિત પાણી વરસાદી ગટરો માં છોડી દેવામાં આવે છે જેના લીધે આવી ઘટનાઓ વારંવાર બને છે અને આ બાબતે જી પી સી બી દ્વારા અનેક કમ્પનીઓ ની પણ તપાસ કરી હતી પરંતુ તેના પર રિપોર્ટ્સ કે કાર્યાવહી કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.


Share

Related posts

વડોદરા : વાઘોડિયા રોડના વિરાટ એસ્ટેટમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

ભરૂચના ત્રાલસા ખાતે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક “ગુરુકુલમ જ્ઞાન વર્ગો” શરૂ કરાયા.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે વિદ્યાર્થીઓની ચૂંટણી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!