Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાંડિયાબજારમાં ટીવી ચાલુ કરતા કરંટ લાગતા યુવાનનું મોત

Share

દાંડિયાબજારમાં ટીવી ચાલુ કરતા કરંટ લાગતા યુવાનનું મોત
– દીવાલ ઉપર કરન્ટ ઉતરતો હોય વાયર પકડી લેતા ઘરમાં એકલા રહેલા યુવાનને સ્થળ પર જ મોત ભરખી ગયું

ચોમાસામાં વીજ કરંટના બનાવો વધી જતાં હોય છે ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ભાથીજી દાદાના મંદિર પાસે રાવલિયા ફળિયામાં રહેતા 48 વર્ષીય રવીયા ભાઈ લક્ષ્મણભાઇ વસાવા મંગળવારે ઘરે એકલા હતા. તેમની પત્ની અને પુત્ર કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન તેઓ ટીવી ચાલુ કરવા ગયા હતા. વરસાદી મોસમમાં તેમના ઘરની દીવાલમાં ભેજ ઉતરો હોય ટીવી ચાલુ કરતા કેબલ ને અડી જતા જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કેબલ પર ઉતરતા કરંટથી તેઓ ચોંટી જતા બુમરાણ મચાવી હતી. જોકે આસપાસના લોકો આવે તે પહેલાં જ તેમનું સ્થળ પર મોત નીપજ્યું હતું. તેઓને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક 108 માં લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતકના ભણીયા સુરેન્દ્ર વસવાની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

જંગલ સફારી પાર્કમાં સિંહણના બે બચ્ચાં પિંજરામાં ટહેલવા નીકળતા પ્રવાસીઓનું આકર્ષણ બન્યા.

ProudOfGujarat

જુનીયર જેસી વિંગ દ્વારા સાયન્સ વર્કિંગ મોડલની કોમ્પિટિશન યોજાઇ.

ProudOfGujarat

જિયો પેમેન્ટ્સ બેંકે મલ્ટી-લેન ફ્રી ફ્લો (એમએલએફએફ) રોડ પ્રોજેક્ટ્સ માટે નેક્સ્ટ-જેન ટોલિંગ સર્વિસીઝ ક્ષેત્રે પ્રવેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!