Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશન ખાતે ટીકીટ વિન્ડો માં વધારો કરાયો

Share

પાલેજ રેલવે સ્ટેશન ખાતે ટીકીટ વિન્ડો માં વધારો કરાયો

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

પાલેજ રેલવે સ્ટેશને મુસાફરો ની સુવિધા માટે ટીકીટ વિન્ડો ની સુવિધા માં વધારો કરાયો છે. ઘણા લાંબા સમય થી સવારે એક સાથે એક દોઢ કલાક માં અપડાઉન માં ૬ જેટલી ટ્રેનો થોડા થોડા અંતરે સ્ટોપેજ કરતા મુસાફરો ની ટીકીટ માટે લાઈનો લાગતી હતી.તેમાં રિઝર્વેશન અને સિઝન ટીકીટ વાળા ની ભીડ થી આમ મુસાફરો ને ટીકીટ લેવામાં ઘણી તકલીફ પડતી હતી.જે બે વિન્ડો ચાલુ થતાં રાહત થઈ છે હાલ માં વિન્ડો ફક્ત સવાર નાં ટાઈમ ખુલે છે ને ટ્રેનો નું ભારણ વધુ હોય છે ત્યારે મુસાફરો ની લાઈનો લાગતી બંધ થઈ છે.
વર્ષો થી અહીં એક જ ટીકીટ બારી ને લઈ કેટલીક વાર ટ્રેનો ના સિગ્નલ સુદ્ધા અટકાવવાની જરૂરત ઉભી થઇ હતી તેમજ વારંવાર ભારે ભીડ ને લઇ મુસાફરો ટીકીટ વિના રજળી પડતા ટ્રેન છોડવી પડતી હતી, છેવટે તંત્ર દ્વારા પાલેજ રેલવે સ્ટેશન ખાતે વધુ એક ટીકીટ વિન્ડો ની માંગ પૂર્ણ કરતા મુસાફરો હાલ પૂરતી રાહત અનુભવી રહ્યા છે


Share

Related posts

અંકલેશ્વર : ન.પા. પ્રમુખ પાણી ભરાયેલા વિવિધ વિસ્તારોની મુલાકાતે : દયનીય વિસ્તારોમાં ફૂડ પેકેટ વિતરણ કર્યા.

ProudOfGujarat

સૌથી મોટી જીત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી નાની વયના વીવી ગિરી, જાણો 15 રાષ્ટ્રપતિ ચૂંટણીના રેકોર્ડ.

ProudOfGujarat

વાંકલ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઇ ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!