Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ – બે કિશોરો ડૂબી જવાનાં બનાવ અંગે ભરૂચ જિલ્લા કોગ્રેસ સમિતિએ શોકની લાગણી વ્યક્ત કરી બિલ્ડરો સામે કાયદેસરના પગલાં ભરવાં માંગ કરતો આવેદનપત્ર પાઠવ્યું

Share

ભરૂચ શ્રવણચોકડી નજીક આવેલ ઉમરાજ ગામની સીમમાં આવેલ ખાડામાં ડૂબી જતાં બે કિશોરોનાં મોત નિપજ્યાં હતાં. આ અંગે ભરૂચ જિલ્લા કોગ્રેસ સમિતિ પ્રમુખ પરિમલસિહ રાણાએ દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમજ મૃતકોનાં સગાં-સંબંધીઓને સાંત્વના પાઠવી છે. આ સાથે ભરૂચ જિલ્લા કોગ્રેસ સમિતિના પરિમલસિંહ રાણાએ ભરૂચ જિલ્લા કલેક્ટર અને ભરૂચ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે આ કરૂણ બનાવ કુદરતી નથી પરંતુ બિલદેરની અને અન્યોની બેદરકારીના પગલે બે કિશોરો ગૌતમ ગોપાલ ઘીવાલા ઉમર વર્ષ 13 અને રાહુલ મનુ ઘીવાલા ઉમર વર્ષ 14 ના મોત નિપજ્યા છે. આવેદનપત્રમાં એમ પણ જણાવેલ છે કે માટીનુ ખોદકામ કરી વેચાણ કરવામાં આવ્યું હતું. પરિણામે ખાડો વધુ ઊંડો બન્યો હતો. જેના પગલે આ કરૂણ બનાવ બન્યો હતો. જો બિલ્ડરે સાવધાની અને સાવચેતીના પગલાં લીધાં હોત તો આ બનાવ બન્યો ન હોત તેથીજ કસૂરવારો સામે પોલીસ કેસ કરી કાયદેસરના કડક પગલાં ભરવાં માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નજીક આમલાખાડી ટ્રેક પર માતાએ બે બાળકો સાથે બાથમારી રેલવે ટ્રેક પર ઉભા રહી આત્મહત્યા કરી…કરુણ બનાવ કેમ બન્યો હશે તે અંગે ચાલતી તપાસ.

ProudOfGujarat

ઝઘડીયાના જેસપોર ગામે એલસીબી ની રેઇડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો.

ProudOfGujarat

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, રવિવારે જ પીએમએ બતાવી હતી લીલી ઝંડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!