Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરમાં આવેલ ગણેશ ચોક પાસે માથાભારે તત્વોએ ગણેશ વિસર્જન કરવા જતા શ્રદ્ધાળુને મારમારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

Share

અંકલેશ્વરમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા શ્રીકાંત રામઅજોર યાદવ અને તેઓના મિત્ર અમરનાથ પાંડે ગત તારીખ-૧૧મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન અગમ્ય કારણોસર અવધૂત નગરમાં રહેતા સુરેશ ઉર્ફે સુર્યા ભરવાડ અને અન્ય પાંચ ઈસમોએ અમરનાથ પાંડે સાથે ઝઘડો કરી તેને ઢીકા પાટુનો મારમાર્યો હતો જે બાદ બીજા દિવસે કુંદન દુબેને માર માર્યા બાદ શ્રીકાંત રામઅજોર યાદવની સોસાયટીમાં મારક હથિયારો સાથે ઘુસી આવી તેને મારી નાખવાની ધમકી આપી હતી જયારે ઈજાગ્રત એમ્બ્યુલન્સ લઈ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યો હતો અને માથાભારે તત્વોને ઝડપી પાડી તેઓ વિરુધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

ભગવાન શ્રીકૃષ્ણે જન્મ લેવા માટે રાત્રે 12 વાગ્યાનો સમય અને બુધવારનો દિવસ કેમ કર્યો હતો પસંદ ?

ProudOfGujarat

ઝઘડિયા જીઆઈડીસીની બિરલા સેન્ચુરી કંપની દ્વારા એમ્બ્યુલન્સની ફાળવણી.

ProudOfGujarat

ભરૂચ : મનુબર સાર્વજનિક સ્કૂલમાં ત્રણ વિદ્યાર્થીનીઓને વેકસીનની થયેલ આડઅસર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!