Proud of Gujarat
FeaturedGujaratINDIA

છૂટાછવાયા વરસાદબાદ પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં બેવડી ઋતુના કારણે શરદી, તાવ, ખાંસી તાવનો વાવર

Share

પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં વરસાદની મોસમ બાદ વાતાવરણમાં બપોરના સુમારે ગરમીનો અહેસાસ જિલ્લા વાસીઓ થઈ રહ્યો છે તેના કારણે બેવડી ઋતુ નો અનુભવ નો અહેસાસ થાય છે અને વાતાવરણમાં અચાનક ફેરફાર ની સીધી અસરને કારણે તાવ ઉધરસ શરદી ખાંસી જેવી બીમારીઓ ઉભી થવા પામી છે જેના કારણે પંચમહાલ જિલ્લા સહિત ગોધરા તાલુકાના દવાખાના ઓમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે ગોધરા શહેરમાં વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ની સમસ્યાઓ દર વર્ષે ઉભી થાય છે ખાબોચિયામાં પાણી ભરાઈ જવાના કારણે મચ્છરો નો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે મેલેરિયા ડેગ્યું સ્વાનફલુ જેવી બીમારીઓ ફેલાઈ શકે છે તે માટે તંત્ર દ્વારા આવા ખાબોચિયાઓમાં પાણી નો ભરાવો ન થાય તે માટે ના તકેદારી ના પગલા લેવાની ગોધરા નગરના રહીશો ની માંગ ઉઠવા પામી છે હાલ તો દર્દીઓનો ઘસારા ઓને કારણે ડોક્ટરો ને ઘીકેળા થઈ રહ્યાં છે.

Advertisement

Share

Related posts

ભરૂચની MK કોલેજ કેમ્પસમાં આજે વિદ્યાર્થીઓ માટે 285 કંપનીઓ દ્વારા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ઝધડિયા પંથકના ભગત ફળિયા ગામે વનવિભાગ દ્વારા અગાઉ મુકવામાં આવેલ પાંજરામાં ખૂંખાર દીપડો કેદ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

ProudOfGujarat

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પલસાણાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!