Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડિયા : ઉમલ્લા નગરમાં અગ્રસેનજી મહારાજ ની જન્મ જયંતિ ઉજવવામાં આવી

Share

સતીશ વસાવા

ઉમલ્લા નગરમાં અગ્રસેનજી મહારાજ ની જન્મ જયંતિ ઉજવવામાં આવી. જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ઝઘડીયા તાલુકાના ઉમલ્લા, પ્રતાપનગર, આમલેથા ગામના અગ્રવાલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે શ્રી અગ્રેસર સેન મહારાજની ૫૧૪૩ – મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉમલ્લાના આજુ બાજુ ના ગામ સહીત અગ્રવાલ સમાજના લોકો મોટી સંખ્યા માં વર્ષો થી ઝગડીયા ના અનેક ગામો માં વસવાટ કરે છે. જેમાં વેપાર વર્ગ મોટા પ્રમાણ માં છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી અગ્રસેન મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને આ શોભાયાત્રા ની શરૂઆત રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સામાજિક પ્રોગ્રામ તેમજ રાજસ્થાની નૃત્ય જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમએ ગરબામાં સગીરાને બાથમાં લઈ ગળા પર ચપ્પુ મૂકી ઇજાઓ કરતા ચકચાર.

ProudOfGujarat

આજે સૂર્યગ્રહણની ધટનાને નિહાળવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી સુરતવાસીઓ પણ આ ધટનાના સાક્ષી બન્યા.

ProudOfGujarat

નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ધો.10 અને 12 ની પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!