Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધી જયંતિ નિમિત્તે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ના કુલપતિ એ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ મા ભાગ લીધો.

Share

પંચમહાલ રાજુ સોલંકી

ગોધરા ખાતે આવેલ કોમર્સ કોલેજમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન તથા કોલેજમાં ઈતિહાસમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓ દ્વારા ભજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ ડો પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ ઉપસ્થિત રહી કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળીને પાવડા દ્વારા સાફ સફાઈ કરી સો કોઈ ને આચાર્ય ચકિત કરી દીધા હતા સાથે સાથે કોલેજ કેમ્પસ માં પ્લાસ્ટીકની થેલીઓ સહિત કચરો એકઠો કરી સ્વચ્છતાનું પ્રશસનિય કાર્ય કર્યું હતું સ્વચ્છતા અભિયાન ના કાર્યક્રમ બાદ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં પ્રથમ વખત ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ ડો પ્રતાપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી ભજન સાંભળી મંત્ર મુગ્ધ બન્યાં હતાં આ કાર્યક્રમ નું આયોજન એન એન એસ ના પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર અરુણસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ઈ.સી. ના મેમ્બર ડૉ ધીરેન સૂતરીયા તથા લો કોલેજના પ્રિ. અપૂર્વ પાઠક ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસી જવાના મુખ્ય માર્ગ પર કપલસાડી ગામ નજીક ટેન્કરનુ અકસ્માત.

ProudOfGujarat

ભરૂચ શહેરને પૂરું પાડતી નહેરમાં પડેલ ગાબડું વહેલી તકે રીપેરીંગ કરવા વિપક્ષના સભ્યોની માંગ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં હાર્ટ એટેક થી વધુ એક યુવાનનું મોત, હોસ્પિટલ ના મેલ નર્સ નું મોત નીપજતા સ્ટાફ સહિત ગામ ના શોક નો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!