Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફરી એક વખત સપાટો બોલાવ્યો છે. ફાયર સેફ્ટીના આભાવના કારણે શહેરની બે હોસ્પિટલ સહિત નર્સરી સ્કૂલ અને એક ટ્રેડ હાઉસને સીલ કર્યું છે.

Share

તક્ષશિલા અગ્નિ કાંડ બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા સુરત શહેરના તમામ મલ્ટિપ્લેક્સ મોલ તથા હોસ્પિટલોને ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો તેમ છતાં કેટલાક લોકો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા હતા જેને લઇ આજે વહેલી સવારથી જ ફાયર વિભાગની ટીમ દ્વારા સિંગણપોર કતારગામ ઉધના તથા સગરામપુરા ડીસામાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફાયર વિભાગની ટીમ દ્વારા સિંગણપોરની રીધમ તથા સંસ્કાર હોસ્પિટલ ફિલ્મ કરવાની કામગીરી કરવામાં આવી હતી આ હોસ્પિટલ અને અગાઉ ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં ફાયર સેફ્ટીના સાધનો માટે લગાડવામાં આવ્યા ન હતા જેને કારણે આ બંને હોસ્પિટલો સીલ મારવામાં આવી હતી આ ઉપરાંત સગરામપુરાની ગુરુકુલ નર્સરી સ્કૂલને પણ સિલ કરાઈ હતી. ઉધનમાં ટ્રેડર્સ હાઉસ પણ સિલ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચના જજીસ બંગ્લોઝ ખાતે ફરજ બજાવતો પોલીસકર્મી નશાની હાલતમાં ઝડપાયો

ProudOfGujarat

સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલના વિદ્યાર્થીએ IIT (JAM) પરીક્ષા પાસ કરી કોલેજનું ગૌરવ વધાર્યું

ProudOfGujarat

વલસાડની શિક્ષીકાને નેશનલ એવોર્ડ મળશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!