Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફરી એક વખત સપાટો બોલાવ્યો છે. ફાયર સેફ્ટીના આભાવના કારણે શહેરની બે હોસ્પિટલ સહિત નર્સરી સ્કૂલ અને એક ટ્રેડ હાઉસને સીલ કર્યું છે.

Share

તક્ષશિલા અગ્નિ કાંડ બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા સુરત શહેરના તમામ મલ્ટિપ્લેક્સ મોલ તથા હોસ્પિટલોને ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો તેમ છતાં કેટલાક લોકો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા હતા જેને લઇ આજે વહેલી સવારથી જ ફાયર વિભાગની ટીમ દ્વારા સિંગણપોર કતારગામ ઉધના તથા સગરામપુરા ડીસામાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફાયર વિભાગની ટીમ દ્વારા સિંગણપોરની રીધમ તથા સંસ્કાર હોસ્પિટલ ફિલ્મ કરવાની કામગીરી કરવામાં આવી હતી આ હોસ્પિટલ અને અગાઉ ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં ફાયર સેફ્ટીના સાધનો માટે લગાડવામાં આવ્યા ન હતા જેને કારણે આ બંને હોસ્પિટલો સીલ મારવામાં આવી હતી આ ઉપરાંત સગરામપુરાની ગુરુકુલ નર્સરી સ્કૂલને પણ સિલ કરાઈ હતી. ઉધનમાં ટ્રેડર્સ હાઉસ પણ સિલ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ:પવિત્ર રમજાન માસ દરમિયાન વીજકાપ,પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા,તથા રોડના સમારકામ અર્થે પશ્ચિમ વિસ્તારના તથા જુના ભરૂચના રહીશો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

નડિયાદ : હથીપુરા ગામનાં ખેતરમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

સુરતમાં મજૂરી કરતાં શખ્સનું નબીપુર પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોત 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!