Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ : વાગરા તાલુકાનાં અખોડ ગામની સીમમાં ત્રણ વ્યક્તિઓના મોતથી ખળભળાટ.

Share

ભરુચ જીલ્લા વાગરા તાલુકાનાં અખોડ ગામની સીમમાં આવેલ ખેતરમાંથી ત્રણ જેટલા વ્યક્તિઓની એકસાથે મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ ખેતરમાં છાંટવાની જંતુનાશક દવાના અસરના કારણે ત્રણેય વ્યક્તિના મોત નિપ્જ્યા હોય તેમ ચર્ચાવી રહ્યું છે. હાલ સમગ્ર મામલા અંગે ત્રણેય મૃતદેહોને વાગરા પોલીસે સ્થળ ઉપર પહોંચી ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં ત્રણેય મૃતકોનું પી.એમ કાર્યવાહી બાદ જ તેઓના મોતનું ચોક્કસ કારણ જાણી શકાય તેમ છે.
જાણવા મળ્યા મુજબ એકસાથે એક જ પરિવારના ત્રણ જેટલા સભ્યોના મોત થતાં અખોડ ગામ તેમજ આસપાસના પંથકમાં ધટનાને લઈને ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : 24 કલાકમાં પ્રોહિબિશનનાં બે કેસો શોધી કાઢતી નેત્રંગ પોલીસ…જાણો વધુ.

ProudOfGujarat

અમદાવાદ સાયન્સ સિટીમાં પાંચ દિવસ ‘સાયન્સ કાર્નિવલ’ યોજાશે.

ProudOfGujarat

જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ દ્વારા આયોજિત જેસીઆઇ વીક 2019 અંર્તગત “ફેશ ટુ ફેશ આઇકોન મીટ” નું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!