Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સુરત ચોક બજારના ડભોલી વિસ્તારમાં શાળાનાં બાળકોના ઝધડામાં સમાધાન કરવા ગયેલા બે સંતાનના પિતાને ચ્પ્પુના ધા મારી મોતને ધાટ ઉતારી દેવાની ધટનાએ સુરત પંથકમાં ચકચાર મચાવી છે.

Share

સુરત શહેરમાં ધુરાબાજી જાણે એક ખેલ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે રોજ એક ધટના બને છે. ચપ્પુબાજીની જેમાં ગતરાત્રીનાં સુરત શહેરનાં ચોક બજાર ડભોલી પાસે એક યુવાનને ચ્પ્પુના ધા મારી મોતને ધાટ ઉતારી હોવાની ધટના ધટી છે સૂત્રોથી મળેલી માહિતી મુજબ રાકેશ સોનાર નામના બે સંતાનનો પિતા હર્બલ લાઈફ પ્રોડક્ટમાં કામ કરે છે તે સંત તુકારામ બ્રિલીયન્લ સ્કુલના બાજુનાં શાળાનાં બાળકો વચ્ચે ઝધડો થયો હતો. તે બાબતે સમાધાન કરવા માટે આવેલા બે છોકરાઓ સાથે સરદાર નગર સોસાયટીનાં નાકા પાસે ગયો હતો જ્યાં સંદીપ પિપલીયા અને પાર્થ ઉર્ફે હર્ષિલ નાઓ તેની સાથે ઝધડો કરીને છાતીનાં ભાગે ચપપુના ધા મારી ભાગી છુટીયા હતા. જેમાં રાકેશ સોનારનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જયારે આ ધટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં સંદીપની અટક કરી હતી જયારે પાર્થ હજીપણ ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

લક્ઝરી બસમાં વિદેશીદારુની હેરાફેરી કરતાં ડ્રાઈવર-ક્લિનરની ધરપકડ 

ProudOfGujarat

આમના શરીફ ઘરચોળા માટે એક લાખ રૂપિયા ખર્ચ કરશે!?

ProudOfGujarat

અંકલેશ્વર સ્થિત ભૂખ્યાને ભોજન ખાતે સ્વ.અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!