Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લામાં બે દિવસ પડેલા કમોસમી માવઠાને લીધે ડાંગર શાકભાજીના પાકને મોટું નુકસાન .

Share

સુરત જિલ્લામાં બે દિવસ પડેલા કમોસમી માવઠાને લીધે ડાંગર શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે ત્યાં બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે હવામાન વિભાગ દ્વારા ત્રણથી ચાર દિવસની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે.ડાંગર, શેરડી સહિત શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન સુરત ભરૂચ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે જો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડે તો ડાંગર શેરડી સહિત શાકભાજીના પાકને મોટુ નુકસાન થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ ડેલાદે જણાવ્યું છે કે અગાઉ કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે એટલું નહીં પરંતુ શેરડીના ઊભા પાકને પણ નુકસાન થતાં સુગર મિલો મૂંઝવણમાં મુકાઈ છે ત્યાં બીજી તરફ જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તેના પગલે સુગર મિલોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જો કમોસમી વરસાદ પડે તો ખેડૂત અને સુગર મિલોને થઈ શકે તેવી ભીતિ છે.

Advertisement

Share

Related posts

બરોડા બીએનપી પારિબા એએમસીએ તમારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બરોડા બીએનપી પારિબા ચિલ્ડ્રન્સ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

ભાલોદ ગામે મહિલાઓ માટેનો તાલીમલક્ષી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં જ્યોતિનગર-હયાત હોટલનો રોડ ૨૨મી ડિસેમ્બર સુધી વન-વે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!