Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં નાગરિકતા કાયદાના વિરોધમાં હિંસા ન થાય તેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો અને ફલેગ માર્ચ કરવામાં આવી.

Share

સુરત ગુરૂવારે નાગરિકતા કાયદાના વિરોધમાં અમદાવાદમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાંથી બોધપાઠ લઈને સુરત શહેર પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ફ્લેગ માર્ચ પણ કરી હતી. શહેર પોલીસે અઠવાલાઈન્સ,સલાબતપુરા, ઉધના સહિતના વિસ્તારોમાં પોલીસની ફ્લેગ માર્ચ નીકળી હતી. તેમજ પોલીસને હિંસાત્મક ઘટનાનો કેવી રીતે સામનો કરવો અને પરિસ્થિતિ વણસે ત્યારે તેના પર કેવી રીતે કાબૂ મેળવવો તે અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસની સહાયતા માટે પેરામિલેટ્રી ફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. સરકાર દ્વારા સુરત માટે એક કંપની ફાળવવામાં આવી છે.આ અંગે એસપી મોરેએ જણાવ્યું હતું કે, ગઈકાલે અમદાવાદમાં જે ઘટના બની તેવી સુરતમાં ઘટના ન બને તે માટે ખાસ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં સંપૂર્ણપણે શાંતિનો માહોલજોવા મળી રહ્યો છે. એકપણ સ્થળે કોઈપણ પ્રકારનો કાંકરીચાળો થયો નથી, તેમ છતાં પોલીસે પૂર્વ તૈયારીના ભાગરૂપે આ આયોજન કર્યું છે. તેની સાથે સાથે પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેમજ અનિચ્છનિય ઘટના ન બને તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ પાર્થ નગર સોસાયટીના એક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને પતિ પત્નીને માર મારી સોનાના દાગીના અને રોકડ રકમ લઈ તસ્કરો ફરાર થતા ભારે ચકચાર મચ્યો હતો…….

ProudOfGujarat

વડોદરા : સિંધરોટ મીની નદી ખાતે માટી ખનન કરતા ડમ્પરો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં કારને અકસ્માત નડતા બે મુસ્લિમ ધર્મગુરુઓનું ઘટના સ્થળે નીપજ્યું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!