Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પાનોલી વચ્ચે ટ્રેનની અડફેટે મહિલાનું મોત .

Share

અંકલેશ્વર પાનોલી વચ્ચે નવજીવન હોટલ પાછળ રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલી 32 વર્ષીય પરપ્રાંતીય મહિલા ટ્રેનની અડફેટમાં આવી જતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર પાસેની નવજીવન હોટલ પાસે આવેલ સાબાન ચૌધરીના ભંગારના ગોડાઉનમાં રહેતી અને મૂળ મધ્યપ્રદેશની 32 વર્ષીય નિનીયા બેન ભીલ ગોડાઉનની પાછળથી પસાર થતી રેલ્વે લાઈનના પાટા ક્રોસ કરી રહી હતી તે દરમ્યાન ટ્રેનની અડફેટમાં આવી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સથળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ધટનાની જાણ તેના પરિવારજનોને થતા તેઓ દોડી આવ્યા હતા અને શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. નિનીયા બેન ભીલના મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 219 ઉપર પહોંચી જયારે આજે બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

ProudOfGujarat

હોળી-ધુળેટી અને રમઝાન માસના પવિત્ર પર્વને અનુલક્ષીને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ProudOfGujarat

સુરતમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાંચમા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ક નહીં આપતા યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!