Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પાનોલી વચ્ચે ટ્રેનની અડફેટે મહિલાનું મોત .

Share

અંકલેશ્વર પાનોલી વચ્ચે નવજીવન હોટલ પાછળ રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલી 32 વર્ષીય પરપ્રાંતીય મહિલા ટ્રેનની અડફેટમાં આવી જતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર પાસેની નવજીવન હોટલ પાસે આવેલ સાબાન ચૌધરીના ભંગારના ગોડાઉનમાં રહેતી અને મૂળ મધ્યપ્રદેશની 32 વર્ષીય નિનીયા બેન ભીલ ગોડાઉનની પાછળથી પસાર થતી રેલ્વે લાઈનના પાટા ક્રોસ કરી રહી હતી તે દરમ્યાન ટ્રેનની અડફેટમાં આવી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સથળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ધટનાની જાણ તેના પરિવારજનોને થતા તેઓ દોડી આવ્યા હતા અને શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. નિનીયા બેન ભીલના મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની કન્યાશાળામાં મોબાઈલના ઉપયોગ અંગે માર્ગદર્શન શિબિર યોજાયો.

ProudOfGujarat

રવિવારે સિધ્ધનાથ મહાદેવ વિરમગામ ખાતે “૨૧ કુંડી સામાજીક સમરસતા મહાયજ્ઞ”યોજાશે

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિમોદ્રા ખાતે કોવિડ -19 તપાસ માટે સેમ્પલ કેવી રીતે લેવા અને પેક કરવા તે અંગે તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!