Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સબજેલમાં પત્નીની હત્યા કરનાર આરોપીએ ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતાં પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી હતી.

Share

હજુ હમણાં જ અંકલેશ્વરનાં રાજપીપળા રોડ સ્થિત પદમાવતી નગરમાં આશાદેવી નામની પરિણીતાને તેના પતિ દિલદારસિંહ આડા સંબંધની શંકામાં મોતને ધાટ ઉતારી દીધી હતી. જોકે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે તુરંત હત્યારા પતિની અટકાયત કરી હતી અને તે ભરૂચની સબજેલમાં કેદ હતો.દરમ્યાન આજરોજ મળતી અત્યંત આધારભૂત માહિતી પ્રમાણે પત્નીની હત્યા કરનાર આરોપી દિલદારસિંહ આજરોજ સબજેલની બેરેકમાં જ ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતા જેલ સત્તાધીશોમાં નાશભાગ મચી જવા પામી હતી.બનાવ અંગેની જાણ થતાં જ ભરૂચ બી.ડિવિઝન પોલીસ સબજેલ ખાતે દોડી ગઈ હતી અને મૃતક કેદીના લાશનો કબ્જો મેળવી તેને પોસમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. સબજેલની બેરેકમાં જ એક કેદીએ ગળે ફાંસો ખાઈ આપધાત કરતાં સબજેલમાં કેદીની સલામતી અંગે અનેક તર્ક વિતર્કો ઊભા થવા પામ્યા છે.

Advertisement

Share

Related posts

બાસ્કામાં ગ્રામજનો દ્વારા સજજડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો :સસ્તા અનાજ ની દુકાન નો પરવાનો ગામ બહાર ની મંડળી ને ન આપવા પ્રાંત અધિકારી આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat

લાખો ગરબા ખેલૈયાઓને મોટો ઝટકો – આ વર્ષે નહિ યોજાય ગુજરાતના સૌથી મોટા ગરબા.

ProudOfGujarat

નડિયાદના ટ્રાવેલ્સ એજન્ટને અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો ભારે પડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!