Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર નગરમાં આવેલ મુસ્લીમ વેપારીઓ દ્વારા પોતના વેપાર  ધંધા બંધ રાખી ભારત બંધ એલાનને અભૂતપૂર્વ સમર્થન આપ્યું હતું.

Share

આજરોજ ભારત બંધના અપાયેલ એલાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના મુસ્લિમ સમાજના વેપારીઓ – તેમજ તમામ ધંધા રોજગાર સાથે સંકળાયેલા મુસ્લિમ બિરાદરો એ બંધના એલાનને સફળ પાડયો હતો, જેમાં ખાનગી નોકરી કરતા મુસ્લિમ બિરાદરોથી લઈને ખાનગી વાહન ચાલકોએ પણ સ્વંયભુ પોતપોતાના કામ ધંધા બંધ રાખી ભારત બંધના એલાનને સમર્થન આપેલ છે, છોટાઉદેપુર નગરમાં બંધના એલાનના પગલે મુસ્લીમ સમાજના વેપારીઓ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રખાતા બજારો સુમસામ બન્યા હતા. સમગ્ર દેશમાં સી.એ.એ. અને એન.આર.સી ના વિરોધમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી તા.29-01-20 ના રોજ ભારત બંધનું એલાન સોશિયલ નેટવર્કિંગ સાઇટો ઉપર જોવા મળેલ હતું, જેને પગલે છોટા ઉદેપુર નગરના મુસ્લીમ બિરાદરોએ આ બંધને સફળ બનાવવા માટે સ્વયંભૂ રીતે ધંધા રોજગારને સજજડ બંધ રાખીને પોતનો વિરોધ નોંધાવ્યો હતો. 

તૌફીક શેખ છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં અમરતપરા ગામ નજીક અમરાવતી ખાડીમાં કેમિકલ યુકત પાણીથી હજારો માછલીઓનાં મોત થવાને મામલે હવે GPCB ની તપાસ પર લોકો નજર કરી બેઠા છે.

ProudOfGujarat

ભરૂચના મહિલા પોલીસ સ્ટેશન સામે જ બુટલેગરે તેની પત્નીને માર માર્યો

ProudOfGujarat

અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટનાઓ સામે આવી હતી જેમાં ગડખોલ નજીક ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યું હતું

ProudOfGujarat

1 comment

Taufiq Shaikh Chhotaudepur January 29, 2020 at 3:53 pm

Very nice networking

Reply

Leave a Comment

error: Content is protected !!