Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાંથી પસાર થતી કરજણની નર્મદા માઇનોર કેનાલમાં ઝાડી ઝાખરા સાફ નહીં કરવા અને સફાઈ નહીં કરતાં કાચી નહેર લીકેજ થતાં ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોનાં ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે.

Share

ભરૂચ જીલ્લામાં લોકોને નર્મદા નદીનું પાણીનું ટીપું મળતું નથી તે કડવી અને સત્ય હકીકત છે. ત્યાં ઘરનાં ઘંટી ચાટે અને પાડોશીને આટો મળે તેવા હાલ છે. જીલ્લાનાં ખેડૂતો માટે ત્યાં જ જીલ્લામાં હાલ તો કરજણ ડેમમાંથી નર્મદા માઇનોર કેનાલમાં પાણી વહેતું કરવામાં આવે છે. પરંતુ ચોમાસા બાદ ભરૂચ જીલ્લામાંથી પસાર થતી નર્મદા સબ માઇનોર કેનાલમાં સફાઈ કરવામાં આવી નથી. નહેરમાં ઠેર ઠેર પાળા તૂટ્યા છે. કેટલીક જગ્યાએ પાળા કાચી છે છતાં કોઇપણ જાતનાં નિરીક્ષણ વિના જ અધિકારીઓ દ્વારા કેનાલમાં પાણી છોડી દેવામાં આવ્યું હતું.

ભરૂચનાં મનુબર ગામ નજીકથી પસાર થતી નર્મદાની સબ માઇનોર કેનાલમાં લીકેજ થતાં પાણી ખેતરોમાં વહેતું થયું અને ખેતરના ઊભા પાકમાં પાણી ભરાતાં પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને થતાં નુકસાનની ભરપાઈ કોણ કરશે. અધિકારીઓ નફફટ બની હાથ અધ્ધર કરી દેશે તો પછી આના માટે જવાબદાર કોણ.

Advertisement

Share

Related posts

માંગરોળ-વાંકલની એન.બી.દેસાઇ હાઇસ્કૂલ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ દિવસની ઉજવણી કરવામાં આવીઃ

ProudOfGujarat

ભરૂચમાં નવરાત્રિ પર્વ દરમિયાન મહિલા સુરક્ષા માટે અભયમ રેસ્કયુ ટીમ તૈનાત કરાઈ.

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધતા 6 મહિનાથી બંધ પાવર હાઉસ ચાલુ કરતા કરોડોની આવક શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!