Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં પુણા ગામ માતૃશક્તિ સોસાયટીના રહીશોએ નજીકમાં વહેતી કોહીલી ખાડીનાં દુર્ગંધ મારતા પાણીનાં મુદ્દે અનોખો વિરોધ દર્શાવ્યો.

Share

સુરતના પુણા ગામ માતૃશક્તિ સોસાયટીના રહીશોએ નજીકમાં વહેતી કોહીલી ખાડીનાં દુર્ગંધ મારતા પાણીનાં મુદ્દે અનોખો વિરોધ દર્શાવતા દુર્ગંધવાળી ખાડી કિનારે પાલિકાના ઉચ્ચ સત્તાધીશોને જમવાનું આમંત્રણ પાઠવ્યુ હતું. પુણા ગામ ખાતે આવેલ કોહીલી ખાડીની દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ અંગે અનેકવાર સુરત મનપાના સત્તાધીશોને રજૂઆત કરી હતી પરંતુ કોઇ જ સાનુકૂળ પ્રતિસાદ ન સાંપડતા અંતે સ્થાનિક રહીશો હવે લડાયક મિજાજમાં આવી ગયા છે. આજરોજ સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક રહીશો દ્વારા પોતાની નારાજગી જતાવવા સુરત મહાનગર પાલિકાના કમિશ્નર, મેયર, અને ઉચ્ચ અધિકારીઓને ખાડી કિનારે જમવાનું આમંત્રણ પાઠવ્યું હતું. આમ દુર્ગંધવાળી ખાડી કિનારે જમવાનું આમંત્રણ પાઠવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા નેશનલ હાઈવે પર મુસાફરોને સર્વિસ રૉડ બનાવી આપવા માંગ સાથે આવેદન પાઠવાયું.

ProudOfGujarat

ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો પર થતાં અત્યાચાર અટકાવવા મૂળ નિવાસી સંઘ એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

લોકડાઉન બાદ બંધ થયેલ અંકલેશ્વર રાજપીપલા ટ્રેન ક્યારે શરૂ કરાશે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!