Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદરમાં ધારા ૧૪૪ નું પાલન કરાવવા માટે વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી.

Share

સમગ્ર ભારતમાં કોરોના વાઈરસના કેસોમાં વધારો થઈ રહયો છે ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા બાહર પાડવામા આવેલ જાહેરનામાનું પાલન કરાવા માટે વિસાવદર પ્રાંત અધિકારીના માર્ગદર્શન નીચે વિસાવદર મામલતદાર આર.વાઈ.ગોસાઈ. ટી.ડી.ઓ, માનાવદરા, આરોગ્ય અધિકારી ડો.વાંજા, નગરપાલિકા ચીફ ઓફિસર પટેલ, અરુણ ભટ્ટ અને પી.આઈ,પટેલ તેમજ પોલીસ સ્ટાફ સાથે વિસાવદર શહેરી વિસ્તારમાં ધારા-૧૪૪ નું પાલન કરાવા માટે નિકળયા હતા.

તેમજ લોકોને સરકારી સૂચનાઓનું પાલન કરવામાં આવે તેમજ બિન જરૂરી ઘર બહાર ન નીકળે તેવી સૂચના આપેલ હતી. આ જાહેર નામું તા-૨૦/૩/૨૦૨૦ ના રોજ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તા-૩૧/૩/૨૦૨૦ સુધી આ જાહેર નામાં ની અમલવારી કરવામાં આવશે. આ જાહેરનામામાં દૂધની ડેરી, અનાજ કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર અને શાકભાજીવાળા વેપારીઓ તેમની દુકાનો ખુલ્લી રાખી શકશે.

Advertisement

Share

Related posts

ગોધરા જ્યારે સસ્તા અનાજની દુકાને પરિવાર સાથે અનાજનો પુરવઠો લેવા આવનારા બાળકો સોશિયલ ડીસ્ટન્સમા જોવા મળ્યા.

ProudOfGujarat

ગાંધીનગર જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ મળ્યો, રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કંબોડિયાની વિદ્યાર્થિની સંક્રમિત

ProudOfGujarat

ભરૂચ : મઢુલી સર્કલ પાસેથી થયેલ બાઇક ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી એક વ્યક્તિને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!