Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાનાં મુસ્લિમ સમાજનાં લોકોએ શબે બરાતમાં ઘરે રહી નમાજ અદા કરી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપ્યો.

Share

હાલ કોરોના વાઇરસને કારણે સમગ્ર ભારતભરમાં લોકડાઉન અમલમાં છે ત્યારે એપેડેમીક ડીસીઝ એકટ મુજબના કાયદાઓ પણ લગાવવામાં આવ્યા છે ઉપરાંત વધુ માણસો ભેગા ન થાય અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તે માટે દરેક જગ્યાએ ધારા ૧૪૪ પણ લાગવાઈ છે. ૯ એપ્રિલ ૨૦૨૦ ગુરુવારની રાત્રે મુસ્લિમ સમાજ માટે મોટી ઈબાદત માટેની રાત હતી જેને શબે બરાત તરીકે પણ ઓળખાય છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે તેમજ માન્યતા પ્રમાણે સાંજે સમૂહમાં નમાજ અદા કરી અલ્લાહની ઈબાદત કરે છે અને રાત્રે કબ્રસ્તાન જઈ મૃત્યુ પામેલા પોતાના પરિજનોની કબર પાસે જઈ તેમની રૂહ માટે દુઆ કરે છે ઉપરાંત આ રાત્રે જીવનની પાછલા વર્ષની હિસાબ કિતાબની ડાયરી બંધ થાય છે અને નવી ડાયરી શરૂ થાય છે. મુસ્લિમ અગ્રણીઓ અને મસ્જિદના ટ્રસ્ટીઓએ સમગ્ર રાજપીપળાના મુસ્લિમ બિરાદરોને ઘરે રહી ઈબાદત કરવા અને લોકડાઉનમાં તંત્ર અને પોલીસ પ્રસાશનને સહકાર આપવા આપીલ કરી હતી જેને માન આપી સમગ્ર રાજપીપળાના મુસ્લિમ બિરાદરો એ મસ્જિદ અને કબ્રસ્તાન જવાનું ટાળ્યું હતું અને ઘરમા રહી નમાજ અદા કરી હતી અને કોરોના મહામારી અટકે તે માટે ખાસ દુઆઓ ગુજારાઈ હતી.

રાજપીપળા,આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

શેખર કપૂર દ્વારા નિષ્ફળતા, સફળતા અને સમયના ભ્રમને સમજવું: આત્મ-અનુભૂતિમાં એક માસ્ટરક્લાસ સફળતા, નિષ્ફળતા અને તેમની વચ્ચેનું અંતર: શેખર કપૂર દ્રષ્ટિકોણ દ્વારા સ્વ-મૂલ્યને ફરીથી વ્યાખ્યાયિત કરે છે

ProudOfGujarat

તા.20/7/2020 નાં સવારે 12 વાગ્યા સુધીમાં કોરોનાનાં 9 પોઝીટિવ દર્દી જણાયા.

ProudOfGujarat

વિશ્વની મોટી ઔદ્યોગિક વસાહતોમાં ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પૂર્ણ સમયનાં નોટિફાઇડ એરિયા ઓફિસરની નિમણૂક કયારે થશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!