Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખએ જૂની મામલતદાર કચેરીના ચો તરફ જર્જરીત બનેલ પૌરાણિક દીવાલનું સમારકામ કરવા માંગ કરી.

Share

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીના કારણે સમગ્ર દેશ લોકડાઉન થઈ ગયું છે ત્યારે ગોધરામાં આવેલ જૂની મામલતદાર કચેરી ખાતે ખોદકામની કામગીરી દરમિયાન પૌરાણિક અવશેષો મળી આવ્યા હતા. જે પુરાતત્વ વિભાગ દ્વારા આ જગ્યાએ ચારે બાજુથી કોર્ડન કરી લીધી હતી અને બાંધકામ રોકી તમામ જગ્યા પુરાતત્વ વિભાગ એ પોતાના હસ્તક લીધી હતી અને આગળનું સંશોધન ચાલુ રાખ્યું હતું ત્યારે તે જગ્યાએ પોલીસ ગઢી વિસ્તારની ચો તરફ આવેલ પૌરાણિક ઐતિહાસિક દિવાલ જે જર્જરીત હાલતમાં ધરાશયી થતાં ભારે નુકસાન થયું છે તેથી આ જર્જરીત બનેલ દીવાલનું સમારકામ કરી તાત્કાલીક પુરાતત્વ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, અને આર એન્ડ બી વિભાગને પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટીએ ધ્યાન દોરી ઐતિહાસિક વિરાસતની સાચવણી માટે રજૂઆત માંગ કરી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ગરૂડેશ્વર મામલતદારે સરકારી જમીનમાં ખોદકામ કરતી ખાનગી કંપનીના 3 વાહનો જપ્ત કરતા ખળભળાટ.

ProudOfGujarat

ભરૂચ નગરમાં જંબુસર બાયપાસ વિસ્તારમાં ભર બપોરે ફાયરિંગ થતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : ગણેશ ચતુર્થી નજીક આવી પરંતુ ગણેશ મુર્તિ વેચાણમાં મંદીનો માહોલ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!