Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખએ જૂની મામલતદાર કચેરીના ચો તરફ જર્જરીત બનેલ પૌરાણિક દીવાલનું સમારકામ કરવા માંગ કરી.

Share

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીના કારણે સમગ્ર દેશ લોકડાઉન થઈ ગયું છે ત્યારે ગોધરામાં આવેલ જૂની મામલતદાર કચેરી ખાતે ખોદકામની કામગીરી દરમિયાન પૌરાણિક અવશેષો મળી આવ્યા હતા. જે પુરાતત્વ વિભાગ દ્વારા આ જગ્યાએ ચારે બાજુથી કોર્ડન કરી લીધી હતી અને બાંધકામ રોકી તમામ જગ્યા પુરાતત્વ વિભાગ એ પોતાના હસ્તક લીધી હતી અને આગળનું સંશોધન ચાલુ રાખ્યું હતું ત્યારે તે જગ્યાએ પોલીસ ગઢી વિસ્તારની ચો તરફ આવેલ પૌરાણિક ઐતિહાસિક દિવાલ જે જર્જરીત હાલતમાં ધરાશયી થતાં ભારે નુકસાન થયું છે તેથી આ જર્જરીત બનેલ દીવાલનું સમારકામ કરી તાત્કાલીક પુરાતત્વ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, અને આર એન્ડ બી વિભાગને પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટીએ ધ્યાન દોરી ઐતિહાસિક વિરાસતની સાચવણી માટે રજૂઆત માંગ કરી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પંચમહાલ : મોરવા હડફ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં પાંચ વાગ્યા સુધીમાં ૩૯.૬૦ ટકા મતદાન…

ProudOfGujarat

આકરી ગરમીના વાતાવરણમાં મતદાનની ટકાવારી કેવી રહેશે તે અંગે ચર્ચા-વિચારણાનું વાતાવરણ ગરમ… સાથે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસ તેમજ BTET જવાનો ગરમીથી ત્રાહિમામ.જવાનોની કફોડી હાલત…

ProudOfGujarat

નડિયાદ એસ.ઓ.જી પોલીસે હાથનોલી ગામેથી ૧.૩૨ લાખના ગાંજાના છોડ ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!