Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ફાયર વિભાગે કોરોનાનાં કહેર વચ્ચે ૨૧ દિવસમાં ૧૧ વોર્ડમાં આવેલા વિવિધ વિસ્તારોને સેનિટાઈઝ કર્યું.

Share

સમગ્ર ભારતમાં ૧૪ મી એપ્રિલના દિવસ ફાયર ડે તરીકે ઉજવાય છે ત્યારે ગોધરા ફાયર વિભાગ દ્વારા લોકડાઉનનાં ૨૧ દિવસમાં કોરોનાના કહેર વચ્ચે અને ગોધરા ફાયરબ્રિગેડ વિભાગના ચીફ ફાયર સુપ્રિટેન્ડન્ટ પ્રવિણસિંહ ફતેંસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ ગોધરાના ૧૧ વોર્ડમાં ૩૦ હજારથી વધારે જગ્યાએ સેનિટાઈઝ કર્યું છે. કુદરતી આફત રોગચાળો, સહિત આગ અને કોરોના જેવી મહામારીમાં ઇમરજન્સી સેવા આપતું વિભાગ એટલે ફાયર વિભાગ ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન ફાયર વિભાગની કામગીરી મહત્વપૂર્ણ સાબિત થઈ છે. છેલ્લા ૨૧ દિવસમાં ગોધરાનાં ચાર ઝોનમાં આવેલ ૧૧ વોર્ડમાં ૩૦ હજારથી વધુ અને સરકારી ઓફિસ, બેન્કો, પોસ્ટ ઓફિસ, પોલીસ હેડક્વાર્ટર, એસઆરપી, જેવી જગ્યાએ ફાયર વિભાગ દ્વારા પાણી સાથે હાઈપોકલોરાઈડ મીક્ષ કરી સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ ગોધરા ફાયર વિભાગ દ્વારા ૧૫ જેટલા કર્મચારીઓ દ્વારા મુસીબતનાં સમયમાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સાહેબ પાર્કિંગ ક્યાં છે..? ભરૂચ -અંકલેશ્વરમાં ગાડીઓ લોક મારી દંડ વસુલતી પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલ

ProudOfGujarat

ગરીબોના હકના દુશ્મન, અંકલેશ્વરના અંદાડા ગામે સરકારી અનાજ વેચવાના કૌભાંડનો પર્દાફાશ,તંત્રએ દરોડા પાડી કૌભાંડ ઝડપી પાડ્યું..!

ProudOfGujarat

મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમાર દાસજી (ખાખીબાપુ)ની દ્વિતિય પુણ્યતિથિની વિરમગામમાં ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!