Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામે બે કોરોના પોઝિટિવ કેસ આવતા તેઓને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા.

Share

ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામે રહેતા બાબુલાલ પીતામ્બર દાસ વૈષ્ણવ ઉ.વ. 54 તથા મહેન્દ્ર કુમાર અશોકભાઈ પુરોહિત ઉ.વ. 21 તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા કેસની જાણ થતા મેડિકલ ટીમ ઉમરપાડા અને ઉમરપાડાના પી.એસ.આઈના સ્ટાફ સહિત તેમજ સરપંચ શ્રી હાજર રૂબરૂમાં માહિતી મેળવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કેવડી બજારમાં અનાજ કરીયાણાની દુકાન ચલાવતા બાબુલાલ પીતામ્બર દાસ વૈષ્ણવ ઉ.વ.54 ને કોરોના પોઝિટિવ આવતા તેમના કુટુંબના આઠ સભ્યો અને દુકાનમાં કામ કરતા બે મજૂરોને હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે. તેઓએ 14 દિવસથી કેવડી ગામની બહાર કોઈ મુસાફરી કરી નથી. પોતાના ઘરે જ રહ્યા છે.કેવડી બજારમાં મહાવીર મેડિકલ સ્ટોર ચલાવતા મહેન્દ્ર કુમાર અશોકભાઈ પુરોહિત ઉ.વ. 21 ને પોઝિટિવ આવતા તેમના ઘરના નવ સભ્યોને હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે. તેઓએ છેલ્લા 14 દિવસમાં બે વખત માંડવી ખાતે આવેલ રિદ્ધિ સિદ્ધિ ટ્રેડર્સ (બજાર ફળિયું)ની મુલાકાત લીધી હતી. બાકીના દિવસોમાં ઘરે રહ્યા હતા. ઉપરોક્ત બંને પેશન્ટને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લઈ જવામાં આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી કેવડી બજાર સ્વયંભૂ બંધ છે.

Advertisement

Share

Related posts

નડિયાદના સાગર એવન્યુ એપાર્ટમેન્ટમાં મોબાઇલ ટાવર ન નાંખવાની માંગ સાથે જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પાંચ ગામોમાં સો ટકા રસીકરણ કરાયું…જાણો કયા કયા ?

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં છેલ્લા ૨૪ વર્ષમાં સોશિયલ તજજ્ઞ ડોકટર મળ્યા ન હોવાથી નર્મદા જિલ્લા બાર એસોસીએશનને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લેખિત ફરિયાદ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!