Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા વન વિભાગ વર્ગ 4 નાં 300 કર્મચારીઓ 2 મહિનાથી પગારથી વંચિત !

Share

નર્મદા જિલ્લામાં રોજમદારોને કાયમી કરી વર્ગ 4 માં લેવામાં આવ્યા હતા.એવા 9 રેન્જોમાં વિવિધ જગ્યાએ કામ કરતા 300 કર્મચારીઓ છે.આ તમામ કર્મચારીઓનો માર્ચ અને એપ્રિલ એમ બે મહિનાથી પગાર થયો નથી અને આ બે મહિનાથી કોરોનાનો કહેર ચાલુ હોય છેલ્લા 45 દિવસથી લોકડાઉનમાં આ કર્મચારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.આ તમામ કર્મચારીઓ પોતાનો પગાર વહેલી તકે થાય તેવી માંગ કરી રહ્યા છે.આવા આખા ગુજરાત રાજ્યમાં 5000 થી વધુ કર્મચારીઓ છે. જેમનો પણ પગાર ન થતા અને જરૂરી માંગણીઓ ન સંતોષાતા ગુજરાત વન શ્રમયોગી સંઘ દ્વારા મુખ્ય મંત્રીને રજૂઆત કરાય છે. અત્રે ઉલ્લખનીય છે કે આ વન કર્મચારીઓનો નિયમિત પગાર થતો નથી.29 ઓક્ટોબર 2010 ના પરિપત્ર મુજબ આ તમામ કર્મચારીઓને રોજમદારોમાંથી વર્ગ 4 ના કાયમી કર્મચારીઓ બનાવ્યા હતા, 25 ફેબ્રુઆરી 2015 ના પરિપત્ર મુજબ ત્યારથી અત્યાર સુધી તેમને તીજોરી કચેરી મારફત પગાર ચુકવવામાં આવતો નથી કેમ કે વન વિભાગ આ રોજમદાર કર્મચારીઓને વર્ગ 4 માં લીધા પછી કોઈ તેમનું મહેકમ બનાવતું નથી અને જેને લઈને તિજોરી શાખા તેમનો પગાર કરતી નથી.વન વિભાગ અને તિજોરી શાખાની સમસ્યા છેલ્લા 5 વર્ષથી ટલ્લે ચઢેલી હોવા છતાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોતાના જ કર્મચારીઓ માટે કશુ કરતા નથી.જેથી આ પગારની સમસ્યા કાયમ થાય છે. આ તમામ પ્રશ્ન હલ કરે એવી રાજ્યના 5000 કર્મચારીઓની માંગ મુખ્યમંત્રી સુધી પહોંચી છે.હવે મુખ્યમંત્રી શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

મોન્ટુ
રાજપીપલા નર્મદા

Advertisement

Share

Related posts

ઉપરાલી ગામ ખાતે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનુ વાતાવરણ….

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા કિનારે આવેલા કુમ્ભેશ્વેર ખાતે બે માળનું આવેલું શની દેવ અને તેમની બે પત્ની નાની મોટી પનોતીનું મંદિર શની જયંતી નિમિત્તે ઇતિહાસમાં પ્રથમવાર બંધ રહયું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ભંગારનાં ગોડાઉનોમાં ભીષણ આગથી અફરાતફરી, ૫ થી વધુ ફાયરની મદદથી આગ પર મેળવાયો કાબુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!