Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ધાંગધ્રા હોટલ રેસ્ટોરન્ટમાં પાર્સલ સુવિધાઓ શરૂ થતાં લોકોને આંશિક રાહત મળી.

Share

કોરોનાનાં કહેર સામે દેશ અને રાજ્યમાં ધંધા ઉદ્યોગ છેલ્લા બે મહિનાથી બંધ હતા ત્યારે સરકાર દ્વારા ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હોટલ અને રેસ્ટોરન્ટનાં ધંધા લોકડાઉનનાં શરૂઆતથી જ બંધ હતા.તેમાં પણ લોકડાઉન ચારમાં સરકાર દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટનાં તેમજ ખાણીપીણીનાં ધંધાવાળાને પાર્સલ સુવિધા આપવામાં આવતા તે લોકો હાલ વેપાર કરી રહ્યા છે અને આવક મેળવી રહ્યા છે સાથે તેમને ત્યાં કામ કરતા કારીગરો પણ કામ ઉપર આવી રહ્યા છે અને આવક મેળવી રહ્યા છે.સરકાર દ્વારા જે નિયમનું પાલન કરવાનું કહ્યું છે તે બધા નિયમ જેવા કે સોસીયલ ડિસ્ટન્સ રાખવું તેમજ માસ્ક પહેરીને કામ કરવું તે બધું પાલન પણ કરી રહ્યા છે. સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવી તેના કારણે વેપારીઓ આવક મેળવી રહ્યા છે સાથે લોકોને પણ પાર્સલ સુવિધાઓ મળતા લોકોને પણ ફાયદો થાય છે. પાઉંભાજી, પુલાવ તેમજ ફરસાણનાં વેપારીઓ હાલ પાર્સલ આપીને આવક મેળવી રહ્યાં છે અને સવારે ઓર્ડર બુક કરીને સાંજે સાત વાગ્યા પહેલા જ તેમને પાર્સલ આપવામાં આવે છે અને સરકારનાં નિયમનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે.

કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 19 થઇ જયારે કુલ સંખ્યા 352 પર પહોંચી.

ProudOfGujarat

અંકલેશ્વર પાસે હાઇવે પર નવજીવન હોટલ પાછળ બોલેરો પીકઅપમાં ચાલતા બાયોડીઝલ પંપને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

વિરમગામ શહેરમાં સ્વ.નાગરભાઇ મીસ્ત્રી ના સ્મરણાર્થે શ્રઘ્ઘાંજલી ભજન સંતવાણી નુ આયોજન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!