Proud of Gujarat
FeaturedGujaratINDIA

પૂર્વ સાંસદ અને ગુજરાત ના પૂર્વ વન મંત્રી સ્વ.ચંદુભાઈ દેશમુખ ની આજે 22 મી પુણ્યતિથિ નિમિતે પરિવાર જનો એ બ્લડ ડોનેટ કર્યું

Share

નર્મદા જિલ્લો જયારે ભરૂચ જિલ્લા માં હતો ત્યારે આ જિલ્લાના પૂર્વ સાંસદ અને ગુજરાત ના પૂર્વ વન મંત્રી સ્વ.ચંદુભાઈ દેશમુખ ની આજે 22 મી પુણ્યતિથિ હતી ત્યારે તેમના કુટુંબીજનોએ તેમની આ પુણ્યતિથિ દર વર્ષની જેમ રક્તદાન કરી ને ઉજવી અને આ પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ અર્પી હાલ કોરોના ની મહામારી વચ્ચે નર્મદા જિલ્લા રેડક્રોસ માં બ્લડ ની ખુબજ અછત રહે છે અને ગ્રામ્ય વિસ્તાર માં બ્લડ ડોનેશન કેમ્પ પણ કરી શકતા નથી ત્યારે કોરોના ના આ કપરા કાળ માં દેશમુખ પરિવારે પરિવારની દીકરી પુત્રો અને પુત્રવધૂઓ સહીત મિત્ર મંડળ સાથે રક્ત દાન કરી આગામી દિવસોમાં જરૂરિયાત વાળા દર્દીઓને રક્ત પૂરું પાળીશકય તે માટે નો પ્રયત્ન કર્યો આ અંગે ઇન્ડિયન રેડક્રોસ નર્મદા ના વાઇસ ચેરમેન ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે હાલ ચાલી રહેલા કોરોના ના કપરા સમય માં પછાત અને આદિવાસી નર્મદા જિલ્લા માં રક્ત ની જરૂરિયાત સામે રક્તદાન ખુબજ ઓછું થાય છે ત્યારે અમારા પરિવાર દ્વારા આ રક્ત જરૂરિયાત વાળા દર્દીઓ ને કામ લાગે તે હેતુ થી રક્તદાન કર્યું.

મોન્ટુ શેખ:- રાજપીપળા

Advertisement

Share

Related posts

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નિકરા યોજના અને FPO ની હેઠળ ખેડૂતોને પોષક અનાજ અંગેનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ખેતીના પાકોમાં કંપનીના કેમિકલ યુક્ત પ્રદુષણથી નુકશાન થતાં કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ જી.પી.સી.બી.ને રજૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!