Proud of Gujarat
FeaturedGujaratINDIA

એસ.આર.પી. જવાનોને જીલ્લા વાઇઝ કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

Share

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ તથા ભરવાડ યુવા સંગઠન પ્રેરિત ગૌ રક્ષક દળ દ્વારા એસ.આર.પી. જવાનોની દર ત્રણ મહિને થતી બદલી બાબતે આજરોજ ભરૂચ કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવેલ છે કે દર ત્રણ મહિને બદલીઓ થયા કરવાથી એસ.આર.પી. જવાનો માનસિક રીતે કંટાળી ગયા છે અને આત્મહત્યા કરવા જેવા પગલાઓ ભરી રહ્યા છે. એસ.આર.પી. જવાનોની બદલી દર ત્રણ મહિને ગુજરાતનાં જીલ્લાઓમાં કરવામાં આવે છે. આ આવેદનપત્રમાં કલેકટરશ્રીને વિનંતી કરવામાં આવી છે કે એસ.આર.પી. જવાનોની જે-તે જીલ્લામાં કાયમી ધોરણે સ્થાયી કરી દેવામાં આવે જેથી એસ.આર.પી. જવાનો આ કંટાળાજનક દોડાદોડીમાંથી મુકત થાય અને આત્મહત્યા જેવા પગલાં ભરવા ન પ્રેરાય અને આમાં સરકારને પણ ફાયદો છે કારણકે સરકારે તેઓને ટી.એ. નહીં ચૂકવવું પડે જેથી સરકારને 132 કરોડ રૂપિયાનો ફાયદો પણ થશે. આમ એસ.આર.પી. જવાનોની દર ત્રણ મહિને થતી બદલીઓ તાત્કાલિક ધોરણે અટકાવી તેમને જીલ્લાઓમાં સ્થાયી કરતાં આ આવેદનપત્રમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ગણેશોત્સવને લઈને રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, આ નિયમોનું કરવું પડશે પાલન.

ProudOfGujarat

અંકલેશ્વરમાં વ્યાજખોરીના ગુનામાં ત્રણ ઇસમોની અટકાયત : 50 લાખની રકમ સામે વ્યાજખોરોએ એક કરોડ 26 લાખ 75 હજાર પડાવ્યા હોવાનો ફરિયાદીનો આરોપ

ProudOfGujarat

ભરૂચમાં જિલ્લા ન્યાયાધીશના બંગલા પાસેથી ૭ ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!