Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરનાં સોન તલાવડી વિસ્તારમાં એક કિશોરને વીજ પોલનો કરંટ લગતા તેનું મોત નીપજયું.

Share

ભરૂચનાં સોન તલાવડી વિસ્તારમાં રહેતા એક 13 વર્ષીય કિશોર નજીકમાં આવેલ નર્મદા માર્કેટમાં વીજ પોલ નીચે લધુશંકા કરી રહ્યો હતો તેવામાં વીજ કરંટ લગતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ અંગે ભરૂચ સિટી પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગતરોજ સાંજનાં આ બનાવ બન્યો હતો જેમાં સોન તલાવડી વિસ્તારમાં રહેતા પ્રથમ હાલાજી ઠાકોર ઉં.વર્ષ 13 જેઓ નજીકમાં આવેલ નર્મદા માર્કેટમાં વીજ પોલ પાસે લધુશંકા કરી રહ્યો હતો તે દરમ્યાન અચાનક વીજ પોલમાંથી કરંટ ઉતરતા પ્રથમને વીજ કરંટ લાગ્યો હતો. જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ બનાવનાં પગલે સોન તલાવડી વિસ્તારનાં લોકોમાં વિજતંત્ર માટે રોષની લાગણી ફેલાય ગઈ છે. આ અંગે એ ડિવીઝન પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ABVP વલસાડ દ્વારા પોલીસના સ્ટાફ ને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામની હદમાં આવેલ જમીન પર એક ભરવાડ દ્વારા વર્ષોથી દબાણ ખડકી દેવામાં આવ્યુ હતુ,જેને તંત્ર દ્વારા દૂર કરીને સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી

ProudOfGujarat

RBI નો નવો નિયમ : 15,000 રૂપિયા સુધીની ચુકવણી માટે OTP જરૂરી નથી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!