Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરનાં સોન તલાવડી વિસ્તારમાં એક કિશોરને વીજ પોલનો કરંટ લગતા તેનું મોત નીપજયું.

Share

ભરૂચનાં સોન તલાવડી વિસ્તારમાં રહેતા એક 13 વર્ષીય કિશોર નજીકમાં આવેલ નર્મદા માર્કેટમાં વીજ પોલ નીચે લધુશંકા કરી રહ્યો હતો તેવામાં વીજ કરંટ લગતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ અંગે ભરૂચ સિટી પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગતરોજ સાંજનાં આ બનાવ બન્યો હતો જેમાં સોન તલાવડી વિસ્તારમાં રહેતા પ્રથમ હાલાજી ઠાકોર ઉં.વર્ષ 13 જેઓ નજીકમાં આવેલ નર્મદા માર્કેટમાં વીજ પોલ પાસે લધુશંકા કરી રહ્યો હતો તે દરમ્યાન અચાનક વીજ પોલમાંથી કરંટ ઉતરતા પ્રથમને વીજ કરંટ લાગ્યો હતો. જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ બનાવનાં પગલે સોન તલાવડી વિસ્તારનાં લોકોમાં વિજતંત્ર માટે રોષની લાગણી ફેલાય ગઈ છે. આ અંગે એ ડિવીઝન પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ કોર્ટમાં ભારતના સંવિધાન દિવસ અંતર્ગત સંવિધાનની ઉદ્દેશીકા વાંચન કરાઇ.

ProudOfGujarat

માંગરોળના વેલાછા ખાતે મંત્રી ગણપતસિંહ વસાવાનાં અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં સારોદ ગામમાં દરબારગઢ ખાતે રંગ અવધૂત મહારાજનો પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!