Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોના અંગે વધુ એક ધૃણાસ્પદ કિસ્સો સપાટી પર આવતા ચારે તરફ સિવિલ હોસ્પિટલ માટે ફિટકારની લાગણી.

Share

ભરૂચ શહેરમાં આવેલ જીલ્લાની એકમાત્ર ગરીબ અને મધ્યમવર્ગ માટેની હોસ્પિટલ એટલે સિવિલ હોસ્પિટલ પરંતુ આ હોસ્પિટલનાં ખાડે ગયેલ વહીવટનાં પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કોરોના યુગમાં એવાં ઘણા કિસ્સા બન્યા છે જેમાં સિવિલ હોસ્પિટલનાં કર્મચારી દ્વારા બેદરકારી દાખવવામાં આવતા દર્દીઓનાં સગા-સંબંધીઓને ભોગવવું પડયું છે. કેટલીકવાર સિવિલ હોસ્પિટલની બેદરકારીનાં પગલે કોરોના પીડિત દર્દીનાં મોત પણ નીપજયાં છે. ત્યારે હાલમાં જ એવો એક કિસ્સો બન્યો કે જેને લઈને સિવિલ હોસ્પિટલનાં કારભારને લઈ ફિટકારની લાગણી ઊભી થઈ છે. આ બનાવમાં સિવિલ હોસ્પિટલમાં એમ્બુલન્સમાં કોરોના પોઝીટીવ દર્દીનાં મૃતદેહને ઉતારવા માટે કોઈ સ્ટાફ તૈયાર થયું ન હતું. લગભગ પોણો કલાક બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આવા ઘણા કિસ્સાઓ સિવિલ હોસ્પિટલનાં જાણવા મળવા છતાં સિવિલ હોસ્પિટલનો કારોબાર સુધરતો નથી.

Advertisement

Share

Related posts

ભરૂચના 7 કેન્દ્રો પર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા, 1583 ઉમેદવારો થયા સામેલ

ProudOfGujarat

કોરોના સંક્રમણની દહેશત પુરી થઈ નથી : કોરોના હલકો થતાં મળેલ છુટછાટો બાદ જનતાએ સાવચેત રહેવું જરૂરી .

ProudOfGujarat

સમગ્ર ગુજરાતનાં જિલ્લાઓમાં એક જ સમય અને દિવસે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!