Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સતત વરસી રહેલ વરસાદનાં પગલે જંબુસર અને આમોદ તાલુકામાં જળબંબાકારનાં દ્રશ્યો સર્જાયા.

Share

આમોદ અને જંબુસર તાલુકામાં પણ હાલમાં વરસતા વરસાદની અસર પડી રહી છે. સતત વરસતા વરસાદનાં પગલે આમોદ અને જંબુસર તાલુકામાં ભયંકર તારાજી સર્જાઈ છે. આછોડ ગામમાં પાણી ફરી વળ્યા છે. જયારે જંબુસર અને આમોદ વચ્ચે આવેલ મગનાદ ગામ પાસે આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ફરી વળતા કેટલોક સમય ટ્રાફિક માટે અંતરાળ ઊભો થયો હતો. આમોદ અને જંબુસર તાલુકામાં કોરોના મહામારી બાદ વરસાદી તાંડવે વિનાશ કરવાની શરૂઆત કરેલ છે. ખેડૂતોનાં જણાવ્યા મુજબ વરસાદી પાણીનો ભરાવો થતાં હાલ ખેતરોમાં જઇ શકાતું નથી જેના પગલે બિયારણ સડી જવાની પણ સંભાવના ઊભી થઈ છે. 24 કલાકમાં 28 ઇંચ વરસાદ વરસ્યા બાદ ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતી સર્જાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ બાહુબલી ગ્રુપ દ્વારા વિધવા મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત વતનનાં રતન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મીરે એસેટ નિફ્ટી એસડીએલ જૂન 2027 ઈન્ડેક્સ ફંડની રજૂઆત.

ProudOfGujarat
error: Content is protected !!