Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગણેશ ઉત્સવ અંગે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

Share

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા સેજલભાઈ દેસાઇની આગેવાનીમાં ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યુ છે કે સાર્વજનિક ગણેશ ઉત્સવની તૈયારીઓ ઉત્સવનાં મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. આ તૈયારીઓમાં ગણેશજીની મૂર્તિનો ઓર્ડર આપવાની કાર્યવાહી મુખ્ય હોય છે. ત્યારે તા.10-7-2020 નાં રોજ એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે શ્રીજીની મૂર્તિની ઊંચાઈ 9 ફૂટની રાખવી. જે મુજબ ગણેશ મંડળોએ ઓર્ડર નોંધાવ્યો હતો. પરંતુ ગણેશ મહોત્સવનાં 2 દિવસ અગાઉ એટલે કે તા.19-8-2020 નાં રોજ મૂર્તિની ઊંચાઈ માત્ર 2 ફૂટની જ રાખવા અંગે જાહેરનામું બહાર પડાયું હતું. આ ઉપરાંત જે સ્થળે વર્ષોથી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે તે જ સ્થળે સ્થાપના કરી શકાય. આ ઉપરાંત રાજય સરકારે પણ મૂર્તિની ઊંચાઈ ઘટાડી 2 ફૂટની કરવા તથા મૂર્તિને ઘરમાં સ્થાપના કરવા જણાવી ગણેશ ઉત્સવનાં કાર્યક્રમો ઘર પૂરતો જ મર્યાદિત કરી દીધો છે અને તેમ કરીને રાજય સરકાર અને જીલ્લા કલેકટર ગણેશ મહોત્સવનાં હેતુને સમજી શકયા નથી તેથી તા.19-8-2020 નાં અવ્યવહારુ જાહેરનામા અંગે પુન: વિચાર કરવા અપીલ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

સુરતમાં BRTS બસમાં વિદ્યાર્થીઓને અનેક સમસ્યા, ABVP ના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ બસો અટકાવીને સુત્રોચ્ચાર કર્યા

ProudOfGujarat

વાંકલ : માંગરોળના વડોલી ગામે એગ્રીકલ્ચર વીજ લાઇનના 23 ગાળા વીજ વાયરોની ચોરીની ઘટનાના બે માસ વિતવા પછી પોલીસ ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

નડિયાદ : મહેમદાવાદ પાસે કાર આઇસર સાથે ભટકાઇ, ત્રણના ઘટના સ્થળે જ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!