Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું : કાંઠા વિસ્તારો હાઈ એલર્ટ.

Share

નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ડેમની જળ સપાટી 31 ઓગષ્ટ 2020 ના રોજ સવાર 10:30 કલાકે 132.63 મીટર નોંધાઇ છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 10 લાખ કયુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. ત્યારબાદ સતત નર્મદા બંધમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સવારે 10:30 કલાકે 10 લાખ ક્યુસેક કરતા જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે. ડેમમાં પાણીની આવક 10 લાખ 63 હજારથી વધુ તેમજ જાવક 10 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે. RBPH તેમજ CHPH વીજ મથકો શરૂ કરાયા છે જેમાંથી હજારો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. ઉપરાંત રોજ કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડતા ત્રણ જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા તેમજ આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને પણ ભારે નુકશાન થવાની ભીતિ છે.

રિપોર્ટર આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

પાલેજ કે પી એસ સ્કૂલ ખાતે આઇ.જી.પી. ની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં કોલેજ રોડ નજીક ઉત્કર્ષ સોસાયટી પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા.

ProudOfGujarat

ભરૂચ : 108 ઇમરજન્સી સેવા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!