Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : NCT કંપનીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં પ્રદુષિત પાણી ખેતરોમાં ફરી વળ્યા.

Share

અંકલેશ્વર વાલિયા અને હાંસોટ તાલુકામાં વિવિધ કંપનીઓ દ્વારા પ્રદુષિત પાણી પાઇપલાઈનો દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવે છે. વાસ્તવમાં પ્રદૂષણનાં નિયમો મુજબ પાણીનાં શુદ્ધિકરણ બાદ પાણી છોડવું જોઈએ. પરંતુ કંપનીઓ આવા શુદ્ધિ અંગે ખર્ચ કરતી નથી તેથી પ્રદુષિત પાણી છોડી દેવામાં આવે છે. જેના પગલે હાંસોટ તાલુકાનાં દિગસ ગામે નર્મદા કલીન્ટસ કંપની (NCT) નું કેમિકલયુકત પાણી સીમમાં ફરી વળ્યું હતું. દિગસ અને મોઠીયા ગામની જમીનમાં પ્રદુષિત પાણી ફેલાતા ખેડૂતોને ભારે નુકસાન થતાં રોષની લાગણી ફેલાય ગઈ છે. જોકે આવી કંપનીઓ દ્વારા પ્રદુષિત પાણી છોડાતા અને પાઇપોમાં ભંગાણ થતાં ખેડૂતોએ હોબાળો મચાવી દીધો હતો આવા હોબાળાનાં પગલે કંપનીનાં કર્મચારીઓ અને અમલદારોએ ખેડૂતો જોડે વાતચીત શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ હાલ સમાધાન થયું છે તેમ છતાં દિગર્શ અને મોઠીયા ગામનાં લોકોએ હાંસોટ પોલીસ અને GPCB ને જાણ કરી ઝતી. તેમજ થયેલ નુકસાન અંગે કંપનીઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાનાં પૂર્વ વિસ્તારનાં વાંદરી ગામ સુધી દિવસનાં બે ટાઈમ બસ સુવિધા ચાલુ કરવા નેચરલ વિલેજ ગ્રુપ નર્મદા દ્વારા રજુઆત…

ProudOfGujarat

આમોદમાં ચૂંટણી પૂર્વે રાજકીય તણાવ: ‘લોકશાહી બચાવો’ના નારા સાથે કોંગ્રેસનો પોલીસ મથક પર વિરોધ, 200થી વધુ અરજીઓ સોંપાઈ

ProudOfGujarat

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં મોર્નિંગ વોક ઉપર નીકળેલા યુવકનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!