Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : આમલાખાડીમાં પ્રદુષિત પાણી વહેતું થવાથી લોકોમાં રોષની લાગણી.

Share

ભરૂચ જીલ્લામાં ધમધમતી કંપનીઓ પર કોઇ જાતનું નિયંત્રણ હોય તેમ જણાતું નથી આડેધડ કંપનીઓ દ્વારા આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવે છે. વાલિયા ચોકડી પાસે આવેલ અંકલેશ્વર GIDC નાં ફાઇનલ પમ્પિંગ સ્ટેશન પાછળથી પ્રદુષિત પાણી છોડાતા આજુબાજુનાં ગામોનાં ભૂગર્ભ જળસ્તર પર તેની અસર થઈ રહી છે. જેના પગલે ખેડૂતોની ખેતીની ઉપજ પણ ઘટી રહી છે. આમલાખાડીમાં પ્રદુષિત પાણી બેરોકટોક છોડાતા ખેડૂતો અને લોકોમાં રોષની લાગણી ફેલાય ગઈ છે. કેટલાક ઘરોમાં હજી પણ પ્રદુષિત પાણી આવી રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. આમલાખાડી નજીક વિવિધ સોસાયટીઓ દ્વારા જયારે પીવાનાં પાણી અંગે જયારે બોર કરવામાં આવે છે ત્યારે પ્રદુષિત અને રંગીન પાણી આવતું હોવાની ફરિયાદ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

અરેરે…સંતોષી વસાહતના રહેવાસીઓની તકલીફોનો કોઈ પાર નથી, ગટરનું ઢાંકણું નથી તો કચરાપેટી ઉભરાય રહી છે..!!!

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકાની આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, પંચાયતના સ્થળે વૃક્ષારોપણ કરી પોષણ માસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ ની આસપાસના જીઆઇડીસી વિસ્તારોમાં કોમ્બિંગ કામગીરી દરમિયાન છ હજારથી વધુ લોકોને દંડ ફટકારતી જિલ્લા પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!