Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : આમલાખાડીમાં પ્રદુષિત પાણી વહેતું થવાથી લોકોમાં રોષની લાગણી.

Share

ભરૂચ જીલ્લામાં ધમધમતી કંપનીઓ પર કોઇ જાતનું નિયંત્રણ હોય તેમ જણાતું નથી આડેધડ કંપનીઓ દ્વારા આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવે છે. વાલિયા ચોકડી પાસે આવેલ અંકલેશ્વર GIDC નાં ફાઇનલ પમ્પિંગ સ્ટેશન પાછળથી પ્રદુષિત પાણી છોડાતા આજુબાજુનાં ગામોનાં ભૂગર્ભ જળસ્તર પર તેની અસર થઈ રહી છે. જેના પગલે ખેડૂતોની ખેતીની ઉપજ પણ ઘટી રહી છે. આમલાખાડીમાં પ્રદુષિત પાણી બેરોકટોક છોડાતા ખેડૂતો અને લોકોમાં રોષની લાગણી ફેલાય ગઈ છે. કેટલાક ઘરોમાં હજી પણ પ્રદુષિત પાણી આવી રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. આમલાખાડી નજીક વિવિધ સોસાયટીઓ દ્વારા જયારે પીવાનાં પાણી અંગે જયારે બોર કરવામાં આવે છે ત્યારે પ્રદુષિત અને રંગીન પાણી આવતું હોવાની ફરિયાદ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

કોણ અને કેમ કોઈ ઈસમો એક રેસ્ટોરન્ટને બદનામ કરી રહ્યા છે ધધાંકીય હરીફાઈ કે અંગત વેરઝેર …..વોટ્સપ ગ્રુપનો કોણ દુરુપયોગ કરી રહ્યું છે…

ProudOfGujarat

લીંબડી ફ્રેન્ડસ ફોરેવર ગૃપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી

ProudOfGujarat

ભરૂચ : ને.હા ૪૮ પર વડદલા નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત, અન્ય એક ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!