Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાનાં ભરથાણા ગામ ખાતે 4 ફૂટ લાંબો મગર પાંજરે પૂરાયો.

Share

ભરૂચ તાલુકાનાં ભરથાણા ગામ ખાતે મગર જણાતા ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું. મગર જણાતા જ ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. ભરથાણા ગામના સરપંચ દ્વારા વનવિભાગને જાણ કરાતા ગામ તળાવમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. આ ગામ તળાવમાં લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું હોવાથી લોકોમાં મગરનો ભય વધુ ફેલાયો હતો. કપડાં ધોવાથી માંડીને અન્ય બાબતો અંગે લોકો ગામ તળાવ ખાતે જતાં હોય ત્યારે મગર જણાતા ગભરાહટ થાય તે સ્વાભાવિક બાબત છે. આવા સમયે સરપંચએ વનવિભાગને જાણ કરતાં પાંજરું મૂકી ગણતરીનાં 24 કલાકમાં જ મગર પાંજરામાં પુરાય ગયો હતો. જેના પગલે ગામ લોકોમાં હાશકારાની લાગણી ફેલાય ગઈ હતી.

Advertisement

Share

Related posts

નવરાત્રીમાં અમદાવાદ પોલીસે 27 પીધેલા અને 12 રોમિયોને ઝડપી લીધા

ProudOfGujarat

વરસાદ માં ખાડા પડ્યા, ચૂંટણીઓ બાદ નેતાઓ વેકેશન મૂડ માં..? અંકલેશ્વર ના ખાડા માં ભાજપ નો ધ્વજ ફરક્યો, પ્રજા ત્રાહિમામ

ProudOfGujarat

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના બાદ 6 ગુજરાતીઓના મૃતદેહ અમદાવાદ લવાયા, વતનમાં થશે અંતિમ વિધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!