Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર જીલ્લાનાં મુખ્ય મથકે દીવા તળે અંધારુ રાત દિવસ વીજ ધાંધિયાથી પ્રજાજનો ત્રસ્ત પરંતુ કચેરીનાં સત્તાધીશો તેમની મસ્તીમાં મસ્ત જોવા મળી રહ્યા છે. 

Share

છોટા ઉદેપુર જિલ્લાની એમ.જી.વી.સી.એલ કચેરીની કથળેલી કામગીરીથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, વરસાદના બે ચાર છાંટા પડતાની સાથે જ વિજળી ગુલ થઈ જાય છે અને આખી રાત્રી દરમિયાન પ્રજાજનોને વીજપુરવઠાથી વંચિત રહી અને  આખી આખી રાત્રી દરમિયાન  અંધારા ઉલેચવાના વારાની  સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ કચેરીનાં નફ્ફ્ટ સત્તાધીશોને તેની કાંઈ જ પડી ના હોય તેમ તેમાં કોઇપણ જાતનો સુધારો વધારો કરવા માટે તૈયાર નથી અને પ્રજાની આ સમસ્યાઓનો નિકાલ કરવા માટે પરિણામલક્ષી ઉપાય શોધવામાં સરેઆમ નિષ્ફળ નીવડયા છે. 

છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકમાં આ પરિસ્થિતિથી વીજ કંપની દ્વારા થઈ રહી છે તો ગ્રામ્ય વિસ્તારની તો દશાની વાતચીત કરવી એ માત્ર પ્રશ્નાર્થ છે… ? છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકમાં  જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ નિવાસ કરે છે, છતાં આ આલા અધિકારીઓની પણ સેહ શરમના હોય તેમ આંતરે દિવસે વર્તમાન પત્રોની હેડલાઈન બનનારી કંપનીને તેની સાખની કાંઈ જ પડી નથી તેવું લાગી રહ્યું છે. 

Advertisement

પ્રજાજનોમાં સામાન્ય રીતે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જો આપણે બિલ ભરવામાં વિલંબ કરીએ તો તેનો કંપની દ્વારા વિલંબિત ચુકવણી ચાર્જ લેવામાં આવે છે. તો કંપની દ્વારા તેની સેવા આપવામાં ખોટ થાય તો તેનો વળતર કેમ ગ્રાહકોને આપવામાં ન આવે તે બાબતે ચર્ચાઓએ જોર પકડ્યું છે અને નજીકના ભવિષ્યમાં આ બાબતે એમ.જી.વી.સી.એલ કંપની ખાતે ધરણા કરવાનું વિચારી રહ્યા હોવાનું જાણવા મળેલ  છે.

તૌફીક શેખ : છોટાઉદપુર


Share

Related posts

ગોધરા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મુખ્ય મંત્રી રાહત નિધિ ફંડમાં એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો.

ProudOfGujarat

માંગરોળ ના વાંકલ પંચવટી હોલમાં ફ્રી આર્યુવેદીક કેમ્પ યોજાયો

ProudOfGujarat

ભરૂચ આમોદનાં તણછા ગામ નજીક આવેલ હોટલનાં કંપાઉન્ડમાં વેલ્ડીંગ કામ કરતી વેળા ટેન્કરમાં બ્લાસ્ટ થતા બે લોકોનાં મોત નિપજ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!