Proud of Gujarat
FeaturedGujaratINDIA

કૃષિ સુધારણા બિલ પસાર થતાં ખેડૂતોની ગૂંચવણનો અંત.

Share

કૃષિ સુધારણા બિલ પસાર થતાં ભરૂચનાં સાંસદ સભ્યએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તાજેતરમાં સમગ્ર દેશમાં કેટલાક રાજયોમાં વિપક્ષ દ્વારા કૃષિ સુધારણા બિલ વિશે પ્રજાને ગેરમાર્ગે દોરે તેવા કટાક્ષો કરવામાં આવતા સાંસદમાં મોદી સરકારે કૃષિ સુધારણા બિલ પસાર કર્યું હતું. જે અંગે રાજય અને કેન્દ્ર સરકારનાં નેતાઓએ એક બેઠક બોલાવી તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ભરૂચ લોકસભાનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ નેત્રંગ તાલુકાનાં ચાસવડ, ચંદ્રવાન, ફોકડી ગામે સભા યોજી હતી અને આ સભામાં તેઓએ જણાવ્યુ હતું કે કૃષિ સુધારા બિલ 2020 થી દેશના ખેડૂતોને કોઈપણ જગ્યા પરથી પોતાનાં પાકનું પોતાની કૃષિ પેદાશનું વેચાણ કરી શકશે. વેપારીઓમાં પણ હાલના સમયમાં તંદુરસ્ત હરીફાઈ થાય છે જેના લીધે ધરતી પુત્રોને પોતાની ઉપજનાં યોગ્ય ભાવ મળી રહે અને તેની સીધો લાભ દેશના અનેક ખેડૂતોને મળે તેવી આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ગુજરાત રાજય સરકારનાં કૃષિ મંત્રી આર.સી. ફળદુનાં માર્ગદર્શન હેઠળ ખેડૂતોની ગૂંચવનો દૂર કરાઇ હતી. તથા આ કૃષિ બિલમાં વધુ પડતી સવલતો અપાઈ છે જેમ કે ખેડૂતોને દૂધાળા પશુઓની યોજના, સિચાઈ સુવિધા, વન અધિકારી અધિનિયમ હેઠળ ખેડૂતોને જમીન લેવલિંગ સહિતની સવલતો આપવામાં આવશે. આ તકે અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાડદિયાએ વધુમાં ખેડૂતોનાં હિતમાં લીધેલ નિર્ણય વિષે જણાવ્યુ હતું કે નાફેડ દ્વારા ખેડૂતોને ટેકાના ભાવોમાં મગફળીની ખરીદી કરવામાં આવે છે જેમાં આ વર્ષે વધુમાં વધુ ખરીદી કરાશે અને મગફળીનાં બારદાનમાં 35 કિલો મગફળી નહીં 25 કિલો મગફળી ભરવામાં આવશે.

Advertisement

Share

Related posts

મંજૂરી મળે કે ન મળે 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ થશે જ: હાર્દિક પટેલનો હુંકાર

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી વિસ્તારોમાં જનરલ બેઠકો ફળવાતા આદિવાસી સમાજમાં આક્રોશ

ProudOfGujarat

વાંકલની કોમર્સ કોલેજના બાંધકામ માટે રાજ્ય સરકારે ₹ ૫.૪૮ કરોડ ફાળવી વહીવટી મંજૂરી આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!